International

ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા! તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે નાગરિકોને કહ્યું- ‘વહેલી તકે ભારત પરત ફરો’

Published

on

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય અવરોધને કારણે સ્થિતિ સ્ફોટક બની છે. ભારત સરકારે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક અસરથી દેશ છોડવાની અપીલ કરી છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે ઉપલબ્ધ તમામ સાધનો, જેમ કે કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારતીયો જલ્દીથી જલ્દી ઈરાનથી બહાર નીકળી જાય.

📝દૂતાવાસ દ્વારા અપાયેલા મહત્વના નિર્દેશો:

  • તાત્કાલિક પ્રસ્થાન: વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને વ્યાપારીઓ સહિતના તમામ ભારતીયોને વહેલી તકે ઈરાન છોડવા જણાવાયું છે.
  • સંપર્ક જાળવી રાખવો: નાગરિકોને ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહેવા અને દૂતાવાસની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી કરવામાં આવી છે.
  • સાવચેતીના પગલાં: વિરોધ પ્રદર્શન વાળા વિસ્તારોથી દૂર રહેવા અને સ્થાનિક મીડિયાના સમાચારો પર નજર રાખવા માટે સૂચના અપાઈ છે.
  • દસ્તાવેજોની સુરક્ષા: પાસપોર્ટ અને જરૂરી ઇમિગ્રેશન દસ્તાવેજો હંમેશા સાથે રાખવા જણાવાયું છે.

🧐તણાવનું કારણ:

​અમેરિકા દ્વારા પશ્ચિમ એશિયામાં કરવામાં આવેલ મોટું સૈન્ય જમાવડો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અપાયેલ ૧૦-૧૫ દિવસના અલ્ટીમેટમને કારણે આ ક્ષેત્રમાં યુદ્ધનો ભય વધી ગયો છે. જોકે ૨૬ ફેબ્રુઆરીએ જિનીવામાં બંને દેશો વચ્ચે મંત્રણા થવાની છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત કોઈ જોખમ લેવા માંગતું નથી.

📱ભારતીય દૂતાવાસના હેલ્પલાઇન નંબરો:

​ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે દૂતાવાસે નીચેના ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે:

  • ​+989128109115
  • ​+989128109109
  • ​+989128109102
  • ​+989932179359

Trending

Exit mobile version