તંત્ર સામે સવાલો:શું આ જ VMC ની પ્રી-મોન્સૂન કામગીરી છે? લોકોના સવાલો વચ્ચે તંત્ર મૌન.
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા ચોમાસાને પહોંચી વળવા માટે કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે આજે જેતલપુર રેલવે ગરનાળાની સ્થિતિએ ગંભીર સવાલો ઉભા કર્યા છે. હજુ તો ચોમાસું બેઠું પણ નથી, ત્યાં તો આ ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
⚠️સ્થાનિકોની હાલાકી:
છેલ્લા 3 દિવસથી જેતલપુર રેલવે અંડરપાસમાં પાણી ભરાયેલા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહીશોના મતે, આ માત્ર વરસાદનું પાણી નથી, પરંતુ ગટર લાઈન ઓવરફ્લો થવાને કારણે ભરાયેલું ગંદુ પાણી છે. આ વિસ્તારના વાહનચાલકો અને રાહદારીઓ છેલ્લા ત્રણ દિવસથી આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે રોગચાળો ફેલાવવાનો પણ ભય રહેલો છે.
🧐તંત્રની કામગીરી પર સવાલો:
નગરજનો પૂછી રહ્યા છે કે જો સામાન્ય દિવસોમાં તંત્રની આ હાલત હોય, તો ચોમાસામાં શું સ્થિતિ સર્જાશે? શું VMC ના અધિકારીઓને આ ગંભીર સમસ્યા વિશે ખબર નથી? વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા ગટર લાઈનની સફાઈ કે નિકાલની યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે જ સામાન્ય નાગરિકોને આવી હાલાકી ભોગવવી પડે છે.
🫵પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર ફોટા પડાવતું તંત્ર, જમીની સ્તરે કેટલી તૈયારી છે તે જેતલપુર ગરનાળાના આ દ્રશ્યો સાબિત કરે છે. વડોદરાના નાગરિકો હવે ઈચ્છી રહ્યા છે કે તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે.