Vadodara

દશામાની શોભાયાત્રામાં યુવકને માર મારી હત્યા કરવાના કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

Published

on

દશામાની શોભાયાત્રામાં નાચવા બાબતે ઝઘડો થતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પાણીગેટ પોલીસે મર્ડરના કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.

Advertisement

કિશનવાડી વુડાના મકાનમાં રહેતો 19 વર્ષનો પીયૂષ ઠાકોર ગત 1 તારીખે સાંજે સાત વાગ્યે દશામાની શોભાયાત્રામાં ગયો હતો. ત્યાં અન્ય મિત્રો સાથે તે નાચતો હતો.

Advertisement

તે સમયે વચ્ચે ઝઘડો થતા આરોપીઓએ પીયૂષ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પીયૂષના માથામાં કડું મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. ત્યાંથી બચીને પીયૂષ ભાગતો હતો. તે સમયે ડિવાઇડર સાથે અથડાઇને પડી જતા બેભાન જેવો થઇ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર લેતા પીયૂષનું મોત થયું હતું.

પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એમ.વ્યાસે સીસીટીવી ફૂટેજ, ખાનગી વીડિયોની ચકાસણી હાથ ધરી આ ગુનામાં સામેલ (૧) ધર્મેશ નગીનભાઇ સોલંકી (૨) રવિ જીવનભાઇ તડવી તથા (૩) રાહુલ ભાઇલાલભાઇ પરમાર ( ત્રણેય રહે. વુડાના મકાનમાં, કિશનવાડી)ને ઝડપી પાડી ઓળખ પરેડ કરાવી છે.

Advertisement

Trending

Exit mobile version