તિરંગા યાત્રાને લઈને પોલીસ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેવા હોવાના કારણે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર ની સાથે વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થળનો તાગ મેળવ્યો હતો. કેવી રીતે યાત્રા શરૂ કરવામાં આવશે કે ક્યાં ગેટ મૂકવામાં આવશે સુવ્યવસ્થા કરવામાં આવશે.
લોકોને અગવડતા ન પડે તેના માટે પાર્કિંગની સુચારૂ વ્યવસ્થા તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ પોતાનો એક્શન પ્લાન રેડી કરવા વડોદરા શહેરના મધ્યમાં આવેલા નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા.
આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, તેમજ અન્ય પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.