Vadodara

વડોદરા દંતેશ્વરમાં ભવ્ય દર્શન સોસાયટીના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ વિરોધ

Published

on

ભવ્ય દર્શન સોસાયટી, દંતેશ્વર, વડોદરાના 208 મકાનો ધરાવતી નોકરી સાથે રહેવાસીઓમાં પાણી, ડ્રેનેજ, રસ્તા અને સ્ટ્રીટ લાઈટ સુવિધાની ગંભીર ખામી.

  • રાહત માટે રહેવાસીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનને અગાઉ પણ રજૂઆત કરી છે, છતાં તેવા પગલાં નથી ગયેલા.
  • ખાસ કરીને રોડ બગાડ અને અંધકારથી રાત્રિના સમય રહેવું મુશ્કેલ બન્યું છે.
  • આગામી મ્યુનિસિપલ ચૂંટણીમાં બહિષ્કાર આંદોલનની શરૂઆત કરશે અને પોતાના વિસ્તરમાં કોઈ નેતાને પ્રવેશ આપવા મંજૂરી આપશે નહીં.

વડોદરા શહેરના વોર્ડ નં. 16માં આવેલ દંતેશ્વર વિસ્તારની ભવ્ય દર્શન સોસાયટીના રહીશોએ આજે પ્રાથમિક સુવિધાઓના અભાવે તંત્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશો મોટા પાયે એકત્ર થઈ સૂત્રોચાર સાથે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.

રહીશોની જાણ મુજબ, સોસાયટીમાં કુલ 208 મકાનો છે, પરંતુ અહીં પાણીની અછત, ડ્રેનેજ સિસ્ટમની ખામી અને સૌથી વધારે રસ્તા તેમજ સ્ટ્રીટ લાઈટની અછત જેવી ગંભીર સમસ્યાઓ છે. ખરાબ માર્ગ અને અંધારામાં રહેલી ગલીઓના કારણે ખાસ કરીને રાત્રિના સમયે રહીશોના અવરજવર વખતે મુશ્કેલીઓ ઊભી થાય છે.

આ મુદ્દે રહીશો અગાઉ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે, છતાં યોગ્ય પગલા ન લેવાતા હવે રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તંત્ર વહેલી તકે ઉકેલ લાવશે નહીં, તો તેઓ આગામી મ્યુનિસિપલ ચૂંટણીમાં બહિષ્કાર આંદોલનની શરૂઆત કરશે અને પોતાના વિસ્તરમાં કોઈ નેતાને પ્રવેશ આપવા મંજૂરી આપશે નહીં.

Trending

Exit mobile version