Vadodara

ગુજરાત સરકારની ‘કરકસર’ પર સવાલ: રાજ્યપાલ S.Tમાં અને મંત્રીઓ હેલિકોપ્ટર? કાફલામાંથી ગાડીઓ ઘટાડવી એ સાદગી કે નાટક?

Published

on

  • PMની અપીલ, નેતાઓનો દેખાડો? ઇંધણ બચાવવાની વડાપ્રધાનની સલાહ સામે ગુજરાતના મંત્રીઓનો વીઆઈપી ઠઠારો યથાવત.
  • કાફલામાં કાપ કે રાજકીય નાટક? હર્ષ સંઘવીએ કાફલામાંથી બે ગાડીઓ ઘટાડી, પણ વિશ્લેષકોએ ગણાવ્યું પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કૃત્ય.
  • રાજ્યપાલનો આદર્શ: આચાર્ય દેવવ્રત હવે એસ.ટી. બસ અને ટ્રેનમાં કરશે મુસાફરી; શું મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ સાદગી અપનાવશે?
  • હેલિકોપ્ટરનો મોહ: ડિજિટલ ઇન્ડિયામાં પણ નાના લોકાર્પણો માટે હેલિકોપ્ટરના ઉડાણ; સરકારી તિજોરી પર તાયફાનો બોજ.

ખાડી યુદ્ધના વાદળો વચ્ચે દેશમાં ઇંધણની અછતની ભીતિ સેવાઈ રહી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલના કરકસરયુક્ત વપરાશની અપીલ કરી છે. પરંતુ, શું ગુજરાતના નેતાઓ આ અપીલને ગંભીરતાથી લઈ રહ્યા છે? કે પછી માત્ર ગાડીઓ ઘટાડવાનું નાટક કરીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે?

👉તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વિશાળ કાર કાફલામાંથી બે-ચાર ગાડીઓ ઓછી કરી દેવામાં આવી. સોશિયલ મીડિયા પર જાણે સરકાર ભારે કરકસર કરી રહી હોય તેવી હવા ઊભી કરાઈ. પરંતુ રાજકીય પંડિતો માની રહ્યા છે કે આ માત્ર એક ‘આઈવોશ’ છે. ગાડીઓની સંખ્યા ઘટવાથી ખર્ચમાં કોઈ ખાસ ફેર પડતો નથી, કારણ કે મંત્રીઓનો વીઆઈપી કલ્ચરનો મોહ હજુ પણ અકબંધ છે.

🧐રાજ્યપાલ vs મંત્રીઓ

બીજી તરફ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જાહેરાત કરી છે કે યુદ્ધની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તેઓ એસ.ટી. બસ કે રેલવેમાં મુસાફરી કરશે. રાજ્યપાલની આ સાદગીની ચોમેર પ્રશંસા થઈ રહી છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જેવા નેતાઓ હજુ પણ હેલિકોપ્ટર અને વૈભવી કારોના મોહમાંથી બહાર કેમ નથી આવી શકતા?

🤨આજના ડિજિટલ યુગમાં જ્યારે વડાપ્રધાન પોતે અનેક કાર્યક્રમો વર્ચ્યુઅલી કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના મંત્રીઓ સામાન્ય લોકાર્પણ માટે પણ લાખોના ખર્ચે હેલિકોપ્ટર દોડાવે છે. સચિવાલયમાં બેસીને જે કામ થઈ શકે તેમ છે, તેના માટે સરકારી તિજોરી પર બોજ નાખીને કાર્યક્રમોના તાયફા કરવામાં આવે છે.

🫵જનતાને સલાહ આપવી સહેલી છે, પણ જ્યારે વાત અમલની આવે ત્યારે નેતાઓ પાછળ રહી જાય છે. જો સત્તાધીશો સાચી સાદગી અપનાવે તો જ જનતામાં સાચો સંદેશ જશે, બાકી કાફલામાંથી બે ગાડીઓ ઓછી કરવી એ તો માત્ર રાજકીય નાટક જ ગણાશે.

Trending

Exit mobile version