PI નો રૂઆબ:લક્ષ્મીપુરા પોલીસ મથકના PI ગાયત્રી રાજપૂતે ગુનેગારોમાં ફફડાટ ફેલાવ્યો; કાયદાનું ભાન કરાવ્યું.
ખોફ દૂર:જે વિસ્તારમાં લોકો ડરતા હતા, તે જ વિસ્તારમાં આરોપીને પગપાળા ફેરવી જનતાનો ડર દૂર કરાયો.
જનતાનો આક્રોશ:વરઘોડા દરમિયાન સ્થાનિક રહીશોએ ઉગ્ર રોષ સાથે ઈસમની ખુમારી ઉતારી નાખી.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આતંક અને દાદાગીરીના જોરે રહીશોને ડરાવતા માથાભારે શખ્સની શાન આજે પોલીસે ઠેકાણે લાવી દીધી છે. લક્ષ્મીપુરા પોલીસ મથકના પી.આઈ. (PI) ગાયત્રી રાજપૂતની આગેવાનીમાં આ માથાભારે ઈસમનો ધોળા દિવસે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
👉દાદાગીરીની પરાકાષ્ઠા:
પ્રાપ્ત માહિતી અનુસાર, આ માથાભારે યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના શખ્સની દાદાગીરી વિસ્તારમાં એટલી હદે વધી ગઈ હતી કે શાંતિપ્રિય રહીશો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. ગુંડાગીરી અને ભયના ઓથાર હેઠળ જીવતા લોકોની ફરિયાદોને ગંભીરતાથી લઈ પોલીસ હરકતમાં આવી હતી.
🚨પોલીસે વરઘોડો કાઢી ખોફ ઉતાર્યો:
આજે લક્ષ્મીપુરા પોલીસની ટીમે આ માથાભારે શખ્સને ઝડપી પાડી, જે વિસ્તારમાં તેણે આતંક મચાવ્યો હતો તે જ ગલીઓમાં તેનો પગપાળા ‘વરઘોડો’ કાઢ્યો હતો. પોલીસનો હેતુ સ્પષ્ટ હતો – ગુનેગારોમાં કાયદાનો ભય જન્માવવો અને સામાન્ય નાગરિકોના મનમાંથી ગુંડાઓનો ડર દૂર કરવો.
🧐લોકોએ ઉતારી ખુમારી:
જ્યારે આ ઈસમને પોલીસની પકડમાં રસ્તા પર ફેરવવામાં આવ્યો, ત્યારે રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોએ જાહેરમાં જ આ માથાભારે શખ્સની ટીકા કરી તેની ખુમારી ઉતારી નાખી હતી. આ કાર્યવાહીથી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
🫵ગુંડાઓ ગમે તેટલા માથાભારે હોય, પણ જ્યારે કાયદો સક્રિય થાય ત્યારે તેમની હાલત શું થાય છે, તે આ વરઘોડાએ સાબિત કરી દીધું છે.