Vadodara

ગુન્હાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા વિઝા કન્સલ્ટન્ટ અને કથિત પત્રકારને મકરપુરા પોલીસે તડીપાર કર્યો

Published

on



વડોદરા શહેર જીલ્લામાં મારામારી અને છેતરપીંડીમાં ગુન્હામાં સંડોવાયેલા આરોપીને મકરપુરા પોલીસે તડીપારનો હુકમ કરીને શહેર જીલ્લા બહાર મોકલી આપ્યો છે.

Advertisement



પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં તુલસી વાટિકા માણેજા ખાતે રહેતો આશિષ હર્ષદભાઈ બારોટ વર્ષ 2023માં મારામારીના ગુન્હામાં ઝડપાયો હતો. જે પહેલા મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં વિઝા અપાવવાના નામે એક નાગરિક પાસે રૂપિયા પડાવી લઈને ઠગાઈ પણ કરી હતી. આ સાથે વડોદરા ગ્રામ્યના શિનોર પોલીસ મથકમાં પણ વર્ષ 2021માં તેના પર ગુન્હો નોંધાયો હતો.



સમગ્ર ગુન્હાહિત પ્રવૃતિઓને ધ્યાને રાખીને મકરપુરા પોલીસે રીઢા આરોપીની તડીપાર દરખાસ્ત પોલીસ કમિશ્નર શ્રીને મોકલી આપવામાં આવી હતી. જ્યાં પોલીસ કમિશ્નર શ્રીના હુકમ અનુસાર આજે આરોપી આશિષ બારોટને ડિટેઇન કરીને વડોદરા શહેર જીલ્લાની હદની બહાર મોકલી આપવામાં આવ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version