Karjan-Shinor

કરજણના ધાવટ રોડ પર સાંઈ સર્જન સોસાયટીના 70 થી 80 પરિવારો કાદવ-કીચડ વચ્ચે જીવન જીવવા મજબૂર

Published

on

  • કાદવ-કીચડની સમસ્યા: સાંઈ સર્જન સોસાયટીમાં આંતરિક રોડ ન હોવાથી રહીશો ગંદા પાણી અને કાદવમાંથી પસાર થવા મજબૂર છે.
  • સ્થાનિકોનો રોષ: વર્ષોથી નિયમિત વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા નાગરિકોમાં નારાજગી ફેલાઈ છે.
  • આરોગ્યનું જોખમ: ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે.
  • તંત્રનો જવાબ: પાલિકાના ઈજનેર દ્વારા ડેવલોપરની બેંક લોન અને કોર્ટ કેસને કારણે કામ અટક્યાનું કારણ અપાયું છે.

વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકા વિસ્તારમાંથી નાગરિકોની લાપરવાહી અને તંત્રની ઉદાસીનતાનો એક મોટો મામલો સામે આવ્યો છે. કરજણના ધાવટ રોડ પર આવેલી સાંઈ સર્જન સોસાયટીમાં રહેતા અંદાજે 70 થી 80 જેટલા પરિવારો ચોમાસાની આ સિઝનમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સોસાયટીમાં આંતરિક રોડ કે રસ્તાની યોગ્ય સુવિધા ન હોવાને કારણે રહીશોને દરરોજ ભારે કાદવ-કીચડ અને ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.

🧐સ્થાનિકોની વેદના અને આક્ષેપો:

રહીશોનું કહેવું છે કે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આ પ્રકારે અવરજવર કરવી અત્યંત જોખમી બની ગઈ છે. આ ઉપરાંત, સતત પાણી ભરાવા અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેઓ નિયમિતપણે નગરપાલિકામાં વેરો ભરે છે, તેમ છતાં પાયાની સગવડોથી વંચિત રહેવું પડે છે. આ મામલે સ્થાનિકો દ્વારા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.

👉તંત્રનો ખુલાસો:

બીજી તરફ, આ સમગ્ર મામલે નગરપાલિકાના બાંધકામ શાખાના ઈજનેર વિક્રમસિંહ રાણાએ જણાવ્યું છે કે ડેવલોપરની બેંક લોન અને કોર્ટ કેસ ચાલી રહ્યો હોવાના કારણે રોડ બનાવવાની કામગીરી અટકી ગઈ છે. તેમ છતાં, સ્થાનિક રહીશો દ્વારા વત્વત્વ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે રોડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

Trending

Exit mobile version