Vadodara

હરણી લેક દુર્ઘટનાના 2 વર્ષ બાદ પણ ન્યાય અધૂરો: ‘આપ’ દ્વારા પાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ, PIL કરવાની ચીમકી

Published

on

વડોદરાના હરણી લેક ઝોનમાં બે વર્ષ અગાઉ સર્જાયેલી એ ગોઝારી દુર્ઘટનાને આજે પણ શહેર ભૂલ્યું નથી. 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14 વ્યક્તિઓના મોત મામલે પીડિત પરિવારોને હજી સુધી ન્યાય ન મળતા આજે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પ્લે કાર્ડ્સ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

📌 મુખ્ય માંગણીઓ:

‘આપ’ ના કાર્યકરોએ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, 23 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં મુખ્ય જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:

  • દુર્ઘટના માટે જવાબદાર મુખ્ય વ્યક્તિનું નામ તાત્કાલિક FIR માં દાખલ કરવામાં આવે.
  • કસૂરવાર વ્યક્તિ સામે સચોટ પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરવામાં આવે.
  • પીડિત પરિવારોને વહેલી તકે ન્યાય અને યોગ્ય વળતર મળે.

🫵 PIL ની ચીમકી:

આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો પાલિકા તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા જવાબદારોના નામ ચાર્જશીટમાં ઉમેરવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં માનનીય અદાલતમાં PIL (જાહેર હિતની અરજી) દાખલ કરશે.

⚠️ દુર્ઘટનાનો ટૂંકો અહેવાલ:

ઉલ્લેખનીય છે કે, હરણી લેક ઝોન ખાતે ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડવાને કારણે બોટ પલટી ગઈ હતી, જેમાં માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામાં તંત્રની બેદરકારી સામે આવી હતી, પરંતુ હજુ પણ અનેક સવાલો વણઉકેલ્યા છે જેને લઈને વિપક્ષ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે.

Trending

Exit mobile version