Vadodara

ચૂંટણી ટાણે જ ભાજપમાં આંતરિક બળવો? માંજલપુરમાં પોસ્ટર લગાવી મતદારોને આયાતી ઉમેદવાર નકારવા અપીલ

Published

on

  • માંજલપુરમાં ખળભળાટ: ‘વડોદરા જાગૃતિ સમિતિ’ના નામે લાગેલા પોસ્ટરોથી ચૂંટણીનો માહોલ ગરમાયો; મતદારોને આયાતી ઉમેદવારથી દૂર રહેવાની અપીલ.
  • આંતરિક અસંતોષની આગ: ભાજપના જ નારાજ નેતાઓ કે કાર્યકર્તાઓ આ વિરોધ પાછળ હોવાની ચર્ચા; ચૂંટણી ટાણે જ પક્ષમાં ભંગાણના એંધાણ.
  • વાયરલ પોસ્ટર્સ: સોશિયલ મીડિયા પર ‘સ્થાનિક વિરુદ્ધ આયાતી’નો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન; માંજલપુર બેઠકના સમીકરણો બદલાવાની શક્યતા.
  • મતદાન પૂર્વે મડાગાંઠ: વોર્ડ-૧૮ના વિવાદ બાદ હવે માંજલપુરમાં પોસ્ટર વોર; શું આ આંતરિક બળવો ભાજપ માટે બનશે મુસીબત?

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનના આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે માંજલપુર વિસ્તારમાં લાગેલા વિરોધના પોસ્ટરોએ રાજકીય ગલિયારાઓમાં ભૂકંપ સર્જી દીધો છે. ‘વડોદરા જાગૃતિ સમિતિ’ના નામે ઠેર-ઠેર લાગેલા પોસ્ટરોમાં મતદારોને ‘આયાતી’ ઉમેદવારને નકારવાની સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે.

🧐ઘર આંગણે જ બળવો:

આ પોસ્ટર વોર ભાજપના આંતરિક અસંતોષને છતો કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષના જ નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાન છેડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ વોર્ડ નં. ૧૮માં વરિષ્ઠ નેતાઓ દ્વારા આયાતી ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો, અને હવે તે વિરોધની જ્વાળા માંજલપુર સુધી પહોંચી ગઈ છે.

સમીકરણોમાં પલટો?

માંજલપુરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓ બહાર લાગેલા આ બેનરોમાં લખાયું છે કે, “સ્થાનિક ઉમેદવારને મતદાન કરશો, આયાતી ઉમેદવારથી દૂર રહેશો.” આ લખાણે મતદારોમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. આ આંતરિક વિરોધ માત્ર પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે કે પછી મતદારોનો સાચો લોકશાહી અવાજ? તે તો આગામી પરિણામો જ બતાવશે, પરંતુ આ વિવાદે સત્તાવાર ઉમેદવારની ઊંઘ હરામ કરી દીધી છે.

🫵મતદાનના આગલા દિવસે માંજલપુરનો આ પોસ્ટર વોર ચૂંટણીના સમીકરણો પર મોટી અસર કરી શકે છે. શું મતદારો આ અપીલને માન આપશે? કે પછી પક્ષનું શિસ્ત આ વિરોધને દબાવી દેશે?

Trending

Exit mobile version