ત્રણ શખ્સો સામે આંગળી ચિંધાઈ:ઘનશ્યામ પટેલ, રાજુ પટેલ અને રોહન પટેલ સામે ગંભીર આક્ષેપ; ઓરિજિનલ દસ્તાવેજો દબાવી રાખ્યાનો દાવો.
ખોટા કેસોની ધમકી:પત્નીના નામના ચેકોનો દુરુપયોગ કરી અપાતી હતી ધમકી; પોલીસ કમિશનર પાસે ન્યાયની ગુહાર.
નિતિન હસમુખલાલ શાહ
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં વ્યાજખોરીના રાક્ષસે ફરી એકવાર માથું ઊંચક્યું છે. શહેરના જાણીતા ‘કલકત્તા કાર એસેસરીઝ‘ના 47 વર્ષીય વેપારી નિતિન હસમુખલાલ શાહએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પોતાની જ દુકાનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાથી વડોદરાના વેપારી આલમમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ છે.
🗣️પરિવારના ચોંકાવનારા આક્ષેપો:
મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે, નિતિનભાઈએ વ્યાજખોરોને પોતાની મિલકત આપી દીધી હોવા છતાં તેઓની ઉઘરાણી પૂરી થતી નહોતી. મુખ્ય આરોપી ઘનશ્યામ ભીખાભાઈ પટેલ જૂના ચેકોનો દુરુપયોગ કરી ધાકધમકી આપતો હતો. આ ઉપરાંત રાજુ પટેલ અને રોહન પટેલ નામના શખ્સોએ દુકાનની મૂળ ફાઈલો દબાવી રાખી હતી, જેના કારણે નિતિનભાઈ પોતાની કોઈ મિલકત વેચીને દેવું પણ ચૂકવી શકતા નહોતા.
🧐વ્યાજનું વ્યાજ અને માનસિક ટોર્ચર:
પરિવારના જણાવ્યા મુજબ, વ્યાજખોરો ક્યારેક 50 લાખ તો ક્યારેક 1.25 કરોડ જેવી રકમની માંગણી કરી માનસિક ત્રાસ આપતા હતા. વેપારીના પત્નીના નામના ચેકો પણ આરોપીઓ પાસે હોવાથી તેઓ ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. આ સતત દબાણને કારણે અંતે હારી જઈને વેપારીએ આત્યંતિક પગલું ભર્યું છે.
🚨પોલીસ તપાસ અને ન્યાયની માંગ:
ઘટના બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, મૃતકના પરિવારે પોલીસ કમિશનરને પત્ર લખીને આ ત્રણેય જવાબદાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. “શું મિલકત આપી દીધા પછી પણ વ્યાજખોરો જીવ લેવાનું બંધ નહીં કરે?” તેવો સવાલ પીડિત પરિવારે ઉઠાવ્યો છે.
વડોદરા પોલીસ વ્યાજખોરો સામે અનેક ઝુંબેશ ચલાવે છે, છતાં આવા કિસ્સાઓ અટકવાનું નામ નથી લેતા. હવે જોવાનું એ રહેશે કે આ વેપારીને ન્યાય મળે છે