બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે વડોદરાના જેતલપુર ગરનાળાથી અવરજવર 15 દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહી છે.
ઉપયોગમાં આવતા મુખ્ય બ્રિજ – અલકાપુરી ગરનાળું અને અકોટા બ્રિજ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો છે.
રેસકોર્સ ચકલી સર્કલથી સયાજી હોસ્પિટલ તરફ જતાં વાહનો માટે જેતલપુર બ્રિજ અને અંડરપાસ બંધ છે.
વાહનચાલકોને અપાયેલી સુચના અનુસાર વૈકલ્પિક રૂટમાંથી જ અવર જવર કરવી જરૂરી રહેશે.
વડોદરાઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ શહેરની અંદર ચાલુ કામગીરીને કારણે રસ્તાઓના ડાયવર્ઝન અને વાહનવ્યવહારના ફેરફારોનો ક્રમ યથાવત રહે છે. પ્રિય લક્ષ્મી મિલ વિસ્તાર બાદ હવે જેતલપુર ગરનાળું 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વડોદરાના રેલવે સ્ટેશનથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી અને જેતલપુર ગરનાળા ગરનાળા મુખ્ય ગણાય છે.
હાલ જેતલપુર વિસ્તાર પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને ધ્યાનમાં રાખીને અહીંથી અવરજવર તાત્કાલિક બંધ રાખવામાં આવી છે.શહેર પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, રેસકોર્સ ચકલી સર્કલથી સયાજી હોસ્પિટલ તરફ જતા અથવા ત્યાંથી આવતા વાહનો માટે જેતલપુર બ્રિજ અને અંડરપાસ પરથી અવરજવર રોકી દેવામાં આવી છે.વાહન ચાલકોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક રૂટ તરીકે અલકાપુરી ગરનાળું અને અકોટા બ્રિજનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.