Vadodara

દાહોદ: રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત રિક્ષામાં સવાર બાળક, મહિલા સહીત 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત

Published

on

રાજ્ય માં વધતા જતા માર્ગ અકસ્માત ચિતાનો વિષય બન્યો છે ત્યારે આજે દાહોદ અલીરાજપુર હાઇવે પર મધ્ય પ્રદેશથી દાહોદ તરફ જતા ટ્રક અને ઝરી ખરેલી ગામ તરફ જઈ રહેલ રિક્ષાને ટ્રકે અડફેટે લેતાં ગરબાડાના પાટીયા ઝોલ તળાવ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રિક્ષામાં સવાર બાળક, મહિલા સહીત 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જયારે એક ઈર્જગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામના ગરગડી ફળિયાના રહેતા શ્રમજીવી પરિવારના 6 સભ્યો રાજકોટ ખાતે રોજગારી અર્થે મજૂરી કામે ગયા હતા અને મજૂરી કરી તહેવાર આવતો હોય ઓટો રિક્ષામાં સવાર થઇ પોતાના વતન પરત ફરી રહ્યા હતા. દરમિયાન ગરબાડાના પાટીયા ઝોલ ગામે સવારના સાત વાગ્યાના સુમારે રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર એક મહિલા, એક બાળક તેમજ ચાર પુરુષો સહીત 6 લોકો ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં ગામ લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને રિક્ષામાં ફસાયેલ ચાલકને બહાર કાઢી ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને મૃતકોના મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version