Vadodara

ગરમીનો પ્રકોપથી પ્રાણીઓ પણ ત્રસ્ત: સાયજીબાગમાં પ્રાણી-પક્ષીઓ પર પાણીનો છંટકાવ કરાયો

Published

on

સમગ્ર રાજ્ય સહીત વડોદરા શહેરમાં પણ ગરમીમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. લોકો ગરમીમાં હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે બીજી તરફ શહેરના કમાટીબાગ ખાતે પ્રાણીઓ અને પક્ષી ઘરમાં પણ પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોરના સુમારે રસ્તાઓ સુમસામસી રહ્યા છે. લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે શેરડીનો રસ ઠંડા પીણા નું સેવન કરી રહ્યા છે. જ્યારે લોકોના ઘરોમાં 24 કલાક એર કન્ડિશનર, કુલર પંખાઓ ધમધમી રહ્યા છે. ત્યારે આમ માનવીની સાથે સાથે પશુ પક્ષીઓ પણ ગરમીથી રક્ષણ મેળવતા નજરે પડ્યા છે.

વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ખાતે પક્ષીઘરમાં પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખાસ પ્રકારની ઘાસ પણ પક્ષીઓના ઘરોમાં રાખવામાં આવેલી છે. જેના કારણે દિવસ દરમિયાન પાણીનો છંટકાવ કરવાથી પક્ષી ઘરમાં ઠંડક રહે અને પક્ષીઓ ગરમીથી રાહત અનુભવી શકે.

Trending

Exit mobile version