Vadodara

પૂરપાટ ઝડપે જતી ST બસે બાઈકને અડફેટે લીધી, અકસ્માત કરીને બસે અચાનક બ્રેક મારતા પાછળથી બીજી બસ અથડાઈ, ઘટનાના CCTV સામે આવ્યા

Published

on

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી ST બસે બાઈક ચાલકને લીધા હતા, જેમાં તેમનું કમકમાટીથી ભર્યું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના હવે CCTV સામે આવ્યા છે. આ મામલે માંજલપુર પોલીસે આરોપી ST બસના ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

મૂળ ઊંઝાના કરલી ગામના અને હાલ
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવકુંજ રેસીડેન્સીમાં રહેતા તેજસભાઇ રાજેન્દ્રભાઈ પટેલ (ઉ.33)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ,19 જુલાઈના રોજ મારા પિતા રાજેન્દ્રભાઇ પટેલ (ઉ.53)ને પોતાના આધાર કાર્ડમાં જન્મ તરીખનો સુધારો કરવાનો હોવાથી જેથી તેઓ સવારે પોતાનું બાઇક લઈને ઘરેથી સ્પંદન સર્કલ પાસે આવેલ વોર્ડ નં.17 ખાતે જવા માટે સવારે 7 વાગે ઘરેથી નીકળ્યા હતા,


ત્યાર બાદ 7.50 વાગ્યે મારા મોબાઇલ ફોન પર મારા પિતાના મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો અને કોઇ અજાણી વ્યક્તિએ મને જણાવ્યું હતું કે, તમારા પિતાનો સ્પંદન સર્કલ પાસે અકસ્માત થયો છે, જેથી તમો અહી આવો.

Advertisement

જેથી હું સ્પંદન સર્કલ પાસે ગયો હતો, ત્યારે ત્યાં ઉભેલા લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે, મારા પિતા તેમનુ બાઇક લઈને સ્પંદન સર્કલ ક્રોસ કરતા હતા, તે સવારે 7.40 વાગ્યાની આસપાસ લાલબાગ બ્રિજ તરફથી એક સરકારી બસ નં.(GJ-18-Z-6900)નો ચાલક પોતાની બસ પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે અને બેદરકારીથી ચલાવી લાવી મારા પિતાની બાઇક સાઇકલને ડાબી સાઈડમાં ટક્કર મારી હતી, જેથી તેઓને માથાના ભાગે તથા પગમાં તથા શરીરે નાની-મોટી ઇજાઓ થઇ હતી.

Advertisement

આ સરકારી બસના ચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવતી બીજી સરકારી બસના ચાલકે પણ બ્રેક મારવા છતા તેનો આગળની સરકારી બસ સાથે અથડાઈ હતી.જેથી પાછળની બીજી સરકારી બસના ચાલકને પણ ઇજા થઈ હતી, જેથી તેને અને મારા પિતાને 108માં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને મારા પિતાને અસ્કમાત કરનાર સરકારી બસનો ચાલક પણ ત્યાં હાજર હતો, ત્યારબાદ હું હોસ્પિટલ ખાતે ગયો હતો, ત્યારે મારા પિતા NCOT સર્જરી વિભાગમાં EF યુનિટમાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે.

ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને એસટી બસના ડ્રાઇવર અશોક સીતારામ દલવત (રહે મારુતિ નંદન સોસાયટી, આજવા રોડ, વડોદરા)ની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતની આ ઘટનાના CCTV હવે સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ST બસે બાઈક લઈને જઈ રહેલા 53 વર્ષિય આધેડને ટક્કર મારી હતી, જેમાં તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું.

Advertisement

Trending

Exit mobile version