Vadodara

ટ્રાફિક બ્રિગેડના જવાનોને છુટ્ટા કરવાના પરિપત્ર સામે જવાનો દ્વારા પોલીસ કમિશનર કચેરીએ કરાઈ રજૂઆત

Published

on

રાજ્ય પોલીસ વડા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ટ્રાફિક બ્રિગેડમાં ત્રણ પાંચ અને દસ વર્ષ ની ફરજ બજાવનાર જવાનોને છૂટા કરવા જે પરિપત્ર ના અનુસંધાને વડોદરા ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરાઈ હતી

રાજ્ય પોલીસ વડા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પરિપત્ર માં જણાવ્યા અનુસાર ટ્રાફિક બ્રિગેડ માં ત્રણ પાંચ અને દસ વર્ષ થી ફરજ બજાવનાર જવાનોને ફરજમાંથી મુક્ત કરવા જે પરિપત્ર ને લઈ વડોદરા ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા 900 માંથી 400 ઉપરાંત ના ટ્રાફિક બ્રિગેડના જવાનોને છૂટા કરવા નો વારો આવ્યો છે જેને લઇ નોકરી ગુમાવવાની વીતીએ ચિંતામાં મુકાયેલ ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા સોમવારે વડોદરા શહેર ખાતે આ વેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી

Advertisement

પોલીસ ભવન ખાતે થયેલ રજૂઆતના અનુસંધાને ટ્રાફિક બ્રિગેડના જવાનોનું આવેદનપત્ર રાજ્ય પોલીસવાળાને પહોંચાડવામાં આવશે અને ત્યાંથી જે રીતની સૂચના આપશે તે પ્રમાણે ટ્રાફિક બ્રિગેડના જવાનો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version