ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે.
- વીજ ટીમો દ્વારા 116 ગામમાં પુરવઠો પૂર્વવત કરાયો
- હાલમાં 387 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી
- 19 ટ્રાન્સફોર્મર, 373 વીજપોલ વરસાદના કારણે તૂટ્યા
ગુજરાત ના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી છે, જ્યાં ભારે પવન અને વરસાદના કારણે વીજળીના માળખાને મોટા પાયે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને કારણે કુલ 465 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના પગલે હજારો પરિવારો અંધકારમાં ધકેલાઈ ગયા હતા.
આ અચાનક વીજળી ગુલ થવા પાછળનું મુખ્ય કારણ વરસાદી વાવાઝોડું અને ભારે પવન છે. આ કુદરતી આફતને કારણે રાજ્યભરમાં કુલ 373 વીજપોલ ધરાશાયી થયા છે અને 19 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનના કારણે 387 ગામોના 732 ફીડરમાં વીજળીમાં સમસ્યા ઊભી થઈ છે, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે
આવી પ્રકૃતિક આફત સૂત્રોની માનીએ તો વરસાદના કારણે સર્જાયેલી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી તંત્રએ ત્વરિત પગલાં લીધા છે. વીજળી વિભાગની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 116 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે, જે એક સકારાત્મક સંકેત છે. જોકે, હજી પણ 387 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. વીજળી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, જે વિસ્તારોમાં નુકસાન વધુ છે ત્યાં સમારકામ કરવામાં સમય લાગી શકે છે.
રાજ્યમાં જમીની સ્તરે કામ કરી રહેલી ટીમોને વધારાના સાધનો અને માનવબળ પૂરા પાડવામાં આવી રહ્યા છે, જેથી કામ ઝડપથી થઈ શકે. સ્થાનિક વહીવટી તંત્ર પણ વીજ ટીમોને સહકાર આપી રહ્યું છે, જેથી નુકસાનગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં અને કામગીરી પૂર્ણ કરવામાં કોઈ અવરોધ ન આવે.
જ્યાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ છે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે. રસ્તાઓ બંધ હોવાને કારણે સમારકામ કરવા માટે ટીમ સમયસર પહોંચી શકતી નથી. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ હોવાથી વીજપોલ અને ટ્રાન્સફોર્મરનું સમારકામ જોખમી બની શકે છે. તેમ છતાં, સરકારી તંત્ર દ્વારા સલામતીના તમામ પગલાં લઈને આ કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે.