વડોદરાના કરજણ પાસે ધાવટ ચોકડી બ્રિજ પર કાળમુખો અકસ્માત.
જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ.
ફાયર વિભાગે 25 મુસાફરોનું કર્યું રેસ્ક્યુ.
વહેલી સવારે ધુમ્મસ અથવા બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાની આશંકા.
વડોદરાના કરજણ પાસે નેશનલ હાઇવે 48 પર આજે વહેલી સવારે એક કાળજુ કંપાવી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધાવટ ચોકડી પર આવેલા બ્રિજ ઉપર એક ખાનગી લક્ઝરી બસ અને ઉભેલા ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
📍ઘટનાની વિગતો:
કેવી રીતે થયો અકસ્માત: ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલ ‘જય ખોડિયાર ટ્રાવેલ્સ’ ની બસ હાઇવે પર સાઈડમાં ઉભેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
રેસ્ક્યુ ઓપરેશન: અકસ્માતની જાણ થતા જ કરજણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ફાયર ફાયટરોએ દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી.
ઇજાગ્રસ્તોની સ્થિતિ: બસમાં સવાર કુલ 25 થી વધુ મુસાફરો પૈકી 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ કાર્યવાહી: કરજણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.