Padra

ગરીબ લાભાર્થીઓના ઉજ્જવલા કનેક્શન બારોબાર સગેવગે થઈ ગયા,લાભાર્થીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન

Published

on

  • 2019માં ઉજ્જ્વલા કનેક્શન માટે અરજી કરનારને તેઓની અરજી રિજેક્ટ થઈ હોવાનું કહ્યું હતું.
  • લાભાર્થીઓને જાણ થતાં પહોંચ્યા વડું પોલીસ સ્ટેશન,ફરિયાદ આપતા પોલીસે તપાસ આરંભી

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત દેશભરમાં ગરીબ પરિવારોને ચૂલા માંથી મુક્તિ અપાવવા માટે મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. જ્યાં અનેક પરિવારોએ સરકારની આ ગેસ કનેક્શન સુવિધાનો લાભ પણ લીધો હતો. ઉજ્જવલા યોજના અંતર્ગત મળતા ગેસ કનેક્શનમાં સીલીન્ડર રીફીલ કરાવવા માટે પણ સબસીડી આપવામાં આવતી હતી. જોકે વર્ષ 2020 પછી આ સબસીડી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે.

પાદરા તાલુકાના વડુ ગામે વર્ષ 2019માં સ્થાનિક ગેસ એજન્સી દ્વારા ગરીબ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત કનેક્શન આપવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક લાભાર્થીઓએ અરજી કરી હોવા છતાંય તેઓના ફોર્મ રદ્દ થયા છે તેમ કહીને કનેક્શન આપવામાં આવ્યું ન હતું. જયારે હવે લાભાર્થીઓને જાણ થઇ છે કે, ઉજ્જવલા યોજના અંતર્ગત કનેકશનો તેઓના નામે ફાળવીને અન્ય કોઈને પધરાવી દેવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનામાં લાભાર્થીઓએ ભેગા થઈને મોભા ગામે આવેલી ગેસ એજન્સી સામે વડું પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ આપી છે. એજન્સીમાં કામ કરતા કર્મચારી કે તેઓના મળતિયાઓ દ્વારા લાભાર્થીઓને મળવા પાત્ર ગેસ કનેક્શન બરોબાર ઈશ્યુ કરીને અન્ય કોઈને આપી દીધા હોવાની ફરિયાદ આપી છે. જયારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.

Advertisement

Trending

Exit mobile version