Gujarat

આણંદ: APMC ચેરમેન અશોક માહિડા હુમલા કેસમાં 3 આરોપીઓ ઝડપાયા; ઉમેટા ચોકડી પર પોલીસે કર્યું રી-કન્સ્ટ્રક્શન

Published

on

  • એક્શન મોડમાં પોલીસ: અશોક માહિડા પર હુમલો કરનાર ફેજલ, આમિર અને ફૈજ વ્હોરાની ધરપકડ; CCTV ફૂટેજ બન્યા મહત્વનો પુરાવો.
  • ક્રાઈમ રી-કન્સ્ટ્રક્શન: આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ આણંદ LCBએ તપાસનો ધમધમાટ તેજ કર્યો; એક દિવસના રિમાન્ડ મંજૂર.
  • 4 હુમલાખોરો હજુ ફરાર: 7 શખ્સોના ટોળાએ હુમલો કરી મોબાઈલની પણ કરી હતી લૂંટ; બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન.
  • રાજકીય ગરમાવો: APMC ચેરમેન પર હુમલાની ઘટના બાદ આંકલાવ પોલીસે નોંધ્યો હતો ગુનો; તપાસ LCBને સોંપાતા મળ્યો મોટો ખુલાસો.

આણંદ: આણંદ જિલ્લાની ઉમેટા ચોકડી પાસે બે દિવસ અગાઉ બોરસદ APMCના ચેરમેન અશોક માહિડા પર થયેલા હિંસક હુમલાના કેસમાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટો ખુલાસો કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા સાત હુમલાખોરો પૈકી ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા છે.

📌ઘટનાનો ક્રમ:

ગત ૨ મેના રોજ 7 જેટલા અજાણ્યા હુમલાખોરોએ બોરસદ APMCના ચેરમેન અશોક માહિડા પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલાખોરો માત્ર હુમલો જ નહીં, પરંતુ અશોકભાઈનો મોબાઈલ ફોન પણ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ આણંદ LCBને સોંપવામાં આવી હતી.

🚨પોલીસી કાર્યવાહી અને ધરપકડ:

આણંદ LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને આસપાસના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ બાદ હુમલાખોરોની ઓળખ કરી હતી. પોલીસ તપાસમાં ફેજલ વ્હોરા, આમિર વ્હોરા અને ફૈજ વ્હોરા ની સંડોવણી ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આજે આ ત્રણેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

🧐રી-કન્સ્ટ્રક્શન અને તપાસ:

તપાસના ભાગરૂપે પોલીસ આરોપીઓને ઉમેટા ચોકડી ખાતે લઈ ગઈ હતી અને ઘટનાનું ક્રાઈમ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને હુમલા પાછળનો હેતુ શું હતો, તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. આ હુમલામાં સામેલ અન્ય 4 આરોપીઓ હજુ પણ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ આદરી છે.

🫵એક પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાના ચેરમેન પર થયેલો આ હુમલો પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ, તે તો પોલીસની કડક પૂછપરછ બાદ જ બહાર આવશે. હાલમાં તો પોલીસે ત્રણ આરોપીઓને પકડીને આ કેસમાં મહત્વની કડીઓ મેળવી છે.

Trending

Exit mobile version