વહીવટી માળખું મજબૂત:૮૧ નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી (SO) તરીકે બઢતી; નવા વિભાગોમાં નિમણૂક.
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને વધુ વેગવંતું અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી વહીવટી સ્તરે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ૨૭મી મે, ૨૦૨૬ની મોડી રાત્રે સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે બદલી અને બઢતીના સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
🧐અધિકારીઓની બદલી અને બઢતી:
વહીવટી તંત્રમાં નવી ઉર્જા લાવવા માટે ફિલ્ડમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓને બદલવામાં આવ્યા છે. જેમાં ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી (DSO) અને મામલતદાર કક્ષાના કુલ ૨૭ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમને હવે અન્ય સ્થળોએ નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, વહીવટી વિભાગના ૯ ઉચ્ચ અધિકારીઓને પ્રમોશન આપીને મહત્વના હોદ્દાઓ પર નિમણૂક આપવામાં આવી છે.
👉સચિવાલયમાં પણ મોટા ફેરફારો:
જિલ્લા કક્ષાની સાથે-સાથે ગાંધીનગર સચિવાલયના આંતરિક વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સચિવાલયના વિવિધ વિભાગોમાં કાર્યરત ૩૬ સેક્શન અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ સાથે જ, વહીવટને વધુ મજબૂત કરવાના હેતુથી ૮૧ નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી (SO) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તમામ પ્રમોટેડ અધિકારીઓને રાજ્યના જુદા-જુદા વિભાગોમાં તાત્કાલિક નવી નિમણૂકો સંભાળવા આદેશ કરાયા છે.
🫵વહીવટી તંત્રમાં કરવામાં આવેલો આ મોટો ફેરફાર લોકસેવા અને સરકારી યોજનાઓના અમલીકરણને વધુ ઝડપી બનાવવાની સરકારની કવાયતનો એક ભાગ માનવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે આ નવા અધિકારીઓની નિમણૂકથી વહીવટી કામગીરીમાં કેટલી ગતિ આવે છે.