VADODARA CITY
વિધાનસભાની જાહેર હિસાબી સમિતિની નંદેસરી ઔદ્યોગિક વસાહત ખાતે મુલાકાત

- આસપાસના ગ્રામજનો ને ઉદ્યોગો દ્વારા થતી તકલીફો અંગે સમીક્ષા કરી
- નંદેસરી ઔદ્યોગિક વસાહત દ્વારા આસપાસના ગ્રામ્ય વસ્તી માટે શું વિકાસના કામો કરાયા તેની મુલાકાત લીધી
- ધારાસભ્ય પૂજાભાઈ વંશ સહીત 8 ધારાસભ્યોની કમિટીએ મુલાકાત લીધી
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબી સમિતિ દ્વારા આજરોજ નંદેસરી અદ્યોગિક વસાહત દ્વારા થતી કનડગત અને ઉદ્યોગોને નડતા પ્રશ્નો મુદ્દે ખાસ મુલાકાત લેવા માં આવી હતી.
અદ્યોગિક વસાહતો દ્વારા થતા પ્રદુષણથી આસપાસના ગ્રામજનોને થતી હાલાકી તેમજ અદ્યોગિક વસાહત દ્વારા ગ્રામજનોના લાભાર્થે થયેલા કામો અને સરકાર તરફે અદ્યોગિક વસાહતોની મળતી સહાયની સમીક્ષા કરવા ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબી સમિતિની રચના કરવામાં આવી છે.
સરકાર દ્વારા બનેલી આ સમિતિમાં ગુજરાત રાજ્યના 14 ધારાસભ્યોની નિમણૂક કરવામાં આવી છે.ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબી સમિતિના પ્રમુખ પૂજાભાઈ વંશ ની અધ્યક્ષતામાં અન્ય 8 જેટલા ધારાસભ્યોની કમિટી દ્વારા આજરોજ નંદેસરી અદ્યોગિક વસાહતની ખાસ મુલાકાત લેવામાં આવી હતી અને ઉદ્યોગો થકી ગ્રામજનોને પડતી હાલાકી,અદ્યોગિક વસાહતે ગ્રામજનોના લાભાર્થે કરેલા કામો તેમજ સરકાર તરફથી અધોહિક વસાહતને મળતી સહાયની સમીક્ષા કરવામાં આવી હતી.
આ સમિતિ દ્વારા કરાયેલ સમીક્ષાનો ચિતાર આપતા નંદેસરી અદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે અદ્યોગિક વસાહત દ્વારા ગ્રામજનોના લાભાર્થે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેના થકી ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.તેમજ ગ્રામજનોના લાભાર્થે અન્ય જે પણ કામો કરવાના છે તે નંદેસરી અદ્યોગિક વસાહત નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરશે તેવી બાંહેધરી આપવા માં આવી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે