VADODARA CITY
વડોદરા પીએફ ઓફીસ દ્વારા રિટાયરમેન્ટના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર મળે તેવી પહેલ

આ શરૂઆત અંતર્ગત 100 થી વધુ લોકોને આ સેવાનો લાભ મળ્યો
વડોદરા શહેર પીએફ ઓફીસ દ્વારા કર્મચારીઓને રિટાયરમેન્ટના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર મળે તેવી પહેલ કરવામાં આવી છે.
સામાન્ય રીતે કર્મચારી 58 વર્ષની ઉંમરે રિટાયર થાય છે. અને ત્યારબાદ તેમને પેન્શન મેળવવા માટે લાંબી દસ્તાવેજી વિધિ કરવાની હોય છે. અને પેન્શનરને પેન્શન મેળવવા માટે બે થી ત્રણ મહિના જેટલા સમયની રાહ જોવી પડે છે. હવે પેન્શનરને રિટાયરમેન્ટના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જાય તેવી શરૂઆત વડોદરા પીએફ ઓફીસ દ્વારા કરવામાં આવી છે.
હાલની પરિસ્થિતિ પ્રમાણે પેન્શનરને પેન્શન મેળવવા માટે બે ત્રણ મહિના નો સમય લાગી જતો હોય છે. પરંતુ હવે પેન્શનરોને પહેલા મહિનાથી જ સમયસર પેન્શન ચૂકવાઇ જશે તેવી જાહેરાત કરાઈ છે આ શરૂઆત અંતર્ગત આજરોજ 100 થી વધુ લોકોને આ સેવાનો લાભ મળ્યો હતો.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે