VADODARA CITY
તસ્કર લાભપાંચમનું મહુર્ત કરવા ગયો અને પોલીસે વિક્ષેપ પાડ્યો

- મળસ્કે 05 વાગ્યાના સુમારે પાડોશી દૂધ લેવા માટે ઘરની બહાર નીકળતા રાવપુરા જી.પી.ઓ ગલી પાસે બે અજાણ્યા છોકરાઓ બાઈક સાથે ઉભા હતા
- પાડોશીની સતર્કતાના પગલે તસ્કરોનો ચોરીનો પ્લાન નિષ્ફળ બન્યો
મથુરા દર્શનાર્થે ગયેલા પરિવારના રાવપુરા સ્થિત બંધ મકાનનું તાળું તોડી રહેલા તસ્કરોનો પ્લાન પાડોશીની સતર્કતાના પગલે નિષ્ફળ નીવડ્યો હતો. મકાનનો નકુચો તોડતા સમયે પાડોશીએ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે એક તસ્કરને ઝડપી પાડી અન્ય એક ફરાર શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ગઇકાલે મળસ્કે 05 વાગ્યાના સુમારે પાડોશી દૂધ લેવા માટે ઘરની બહાર નીકળતા રાવપુરા જી.પી.ઓ ગલી પાસે બે અજાણ્યા છોકરાઓ બાઈક સાથે ઉભા હતા. અને કેરોન દુકાનની પાછળ લોખંડની જાળીનો નકુચો તોડતા નજરે ચડ્યા હતા. જેથી પાડોશીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા રાવપુરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તાળું તોડી ચોરીનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને ઝડપી પાડયો હતો.
જ્યારે અન્ય શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી જોગિંદરસિંગ શિકલીગર ( રહે, અનુપમ નગર, રેલવે કોલોની પાછળ ,દંતેશ્વર ,વડોદરા) તથા ફરાર શખ્સ ત્રિલોકસિંગ શિકલીગર (રહે- વીમા દવાખાના પાછળ, વારસિયા, વડોદરા) હોવાની વિગતો સપાટી પર આવી હતી.
અત્રે નોંધનીય છે કે ,મકાન માલિક નિલેશભાઈ મોદી હાલ મથુરા વૃંદાવન ખાતે દર્શન માટે ગયા હોય પાડોશીની સતર્કતાના પગલે તસ્કરોનો ચોરીનો પ્લાન નિષ્ફળ બન્યો હતો. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે આરોપીની ચોરીના પ્રયાસના ગુનામાં અટકાયત કરી વોન્ટેડ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે