VADODARA CITY
સાબરમતી જેલમાં સાથેજ સજા કાપતા કેદી મિત્રના પુત્રએ વડોદરા આવી પરણીતા પર બળાત્કાર ગુજાર્યો

- આર્થિક મદદ કરવાના બહાને નરાધમે પરણીતાને છાણીમાં બોલાવી
- અવાવરી જગ્યાએ લઈ જઇને 5 વર્ષીય પુત્રી સામે જ કારમાં જ દુષ્કર્મ આચર્યું
- પરણીતાએ વિરોધ કરતા પુત્રીને પણ અડપલા કર્યા
છેલ્લા દોઢ વર્ષથી ચેઇન સ્નેચીંગના ગુનામાં અમદાવાદ સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા આરોપીની પત્નીને આર્થિક મદદ કરવાના બહાને છાણી બ્રીજથી છાણી ગામ તરફ જવાના રસ્તા ઉપર લઇ જઇ પાંચ વર્ષની માસુમ બાળકી સામે કારમાં બળાત્કાર ગુજારનાર યુવાન સામે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, હવસખોરે બળાત્કારનો ભોગ બનેલી યુવતીની પાંચ વર્ષની દીકરીની પણ શારીરીક છેડછાડ કરી હતી.
છાણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, શહેરના હરણી-વારસીયા રીંગ રોડ ઉપર રહેતા અને 25 જેટલા ચેઇન સ્નેચીંગ સહિત અન્ય ગુનામાં સેડોવાયેલ ઉમેશ છેલ્લા દોઢ-બે વર્ષથી અમદાવાદ સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેની પત્ની કામીની (નામ બદલ્યું છે) તેના બે સંતાનો સાથે વડોદરામાં રહે છે. અને પોતાનું ગુજરાન ચલાવે છે.
છાણી પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે ઉમેશની સાથે અમદાવાદ સાબરમતી જેલમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાપરડા ગામનો રણછોડ અંબાલાલ પટેલ પણ સજા ભોગવી રહ્યો છે. ઉમેશ અને રણછોડ વચ્ચે જેલમાં મિત્રતા થઇ હતી. આથી ઉમેશ મિત્ર આરોપી રણછોડ પટેલના પુત્ર લાલા (રહે. રાપરડા, તા. કાલોલ, જિ. ગાંધીનગર)ને પણ ઓળખતો હતો. તા.11ના રોજ સાંજના સમયે લાલો પટેલ વડોદરા આવ્યો હતો. અને ઉમેશની પત્ની કામીનીને આર્થિક મદદ કરવાના બહાને ફોન કરીને દશરથ ગામ પાસેના પેટ્રોલ પંપ પાસે બોલાવી હતી.
કામીની પોતાની પાંચ વર્ષની દીકરી સહિત બંને બાળકોને લઇ દશરથ પાસેના પેટ્રોલ પંપ પાસે આર્થિક મદદની આશાએ ગઇ હતી. પેટ્રોલ પંપ પાસે કાર લઇને ઉભેલા લાલા રણછોડ પટેલે કામીનીને પોતાની કારમાં બેસાડી દીધી હતી. અને જણાવ્યું હતું કે, એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડવા પડશે. તેમ જણાવી કાર છાણી બ્રિજથી છાણી ગામ તરફના કાચા રસ્તા ઉપર લઇ ગયો હતો. અને રસ્તામાં કામીનીના બંને બાળકો સામે કામીની ઉપર કારમાંજ બળાત્કાર ગુજાર્યો હતો.
લાલા પટેલે બળાત્કાર ગુજાર્યા બાદ કામીની હવસખોર લાલાને પોલીસમાં પકડાવી દેવા માટે તેની સાથે સીટીમાં નટુભાઇ સર્કલ પાસે આવી હતી. સીટીમાં આવતી સમયે હવસખોર લાલાએ કામીનીની સાથે બેઠેલી પાંચ વર્ષની દીકરીની પણ શારીરીક છેડછાડ કરી હતી. દીકરી સાથે પણ લાલાએ છેડછાડ કરતા કામીની ગુસ્સે ભરાતા લાલો કામીનીને આર્થિક મદદ કર્યા વિના કામીની અને તેના બે બાળકોને રસ્તામાં ઉતારી રવાના થઇ ગયો હતો.
દરમિયાન કામીની બંને બાળકો સાથે છાણી પોલીસ મથકમાં પહોંચી હતી. અને હવસખોર લાલા રણછોડ પટેલ (રહે. રાપરડા, તા. કલોલ, જિ. ગાંધીનગર) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે લાલા પટેલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની વધુ તપાસ છાણી પી.આઇ. આર.ડી. મકવાણા કરી રહ્યા છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે