VADODARA CITY
કેન્ટોન લેબોરેટરીઝ વિસ્ફોટના ઘટનાસ્થળે મહેસુલ મંત્રીએ મુલાકાત લીધી

- કંપની સંચાલક સાથે મૃતકના પરિવારજનોને સહાય ચૂકવવા માટે ચર્ચા કરી
- 5 લાખ ચૂકવવા તૈયાર કંપની સંચાલકને 15 લાખ ચૂકવવા માટે સૂચના આપી
- દુર્ઘટના માટે કોણ જવાબદાર છે તેની યોગ્ય તાપસ કરવાની પણ ખાતરી આપી
આજે સવારે વડોદરા શહેરના મકરપુરા GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો ઘટનમાં અનેક કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. જયારે આ લખાય છે ત્યાં સુધી ચાર કામદારોના મોત નીપજ્યા છે. ઘટના બાદ વડોદરા શહેરના મોટા ભાગના રાજકારણીઓ એ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અને હોનારત અંગે માહિતી મેળવી હતી.
માંજલપુર મામલતદાર ઓફિસે ઓચિંતી મુલાકાતે પહોચેલા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ કેન્ટોન લેબોરેટરીઝ ખાતે પહોચ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મંત્રી એ મૃતકના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી તેમજ કંપનીના માલિક દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તોને કેટલું વળતર ચૂકવવાના છે તે અંગે પણ માહિતી મેળવી હતી.
કેન્ટોન લેબોરેટરીઝ કંપનીના સંચાલકો એ પ્રત્યેક મૃતક દીઠ 5 લાખ ની સહાય ચુકવવાની જાહેરાત કરી હતી. જેકો મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સહાયની રકમ 15 લાખ સુધી કરવાનું સુચન આપ્યું હતું.

VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે