VADODARA CITY
બ્રિજના સર્વિસ રોડ પર ડ્રેનેજ મેનહોલમાં કાર ફસાઈ,કાર માલિકે જાતે ક્રેઇન બોલાવવી પડી

વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. પ્રિ મોન્સૂન કામગીરીના પણ ઠેકાણાં નથી ત્યાં તો નવા બની રહેલા બ્રિજની પાસેના સર્વિસ રોડની સર્વિસ નહીં થવાના કારણે વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.
ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધી બની રહેલા બ્રિજની સાઈડમાં સર્વિસ રોડ ઉપર અડધા ખુલ્લા ડ્રેનેજના ઢાંકણામાં ગત રોજ એક ફોર્ચ્યુનર કારનું આગળનું ટાયર ફસાઈ જતા ત્રણ કલાકની જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. જ્યારે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
વડોદરા શહેરના નંદેસરી વિસ્તારમાં સ્ક્રેપનો વેપાર કરતા રિપલ પટેલ ગત રોજ પોતાની ફોર્ચ્યુનર કાર લઈને જુના પાદરા રોડ પરથી ચકલી સર્કલ તરફ જઈ રહ્યા હતા. જ્યાં સર્વિસ રોડ પર થી પસાર થતા સમયે તૂટેલા ડ્રેનેજના ઢાંકણા પરથી કાર પસાર થતા કારનું આગળનું ટાયર ડ્રેનેજના મેનહોલમાં ફસાઈ ગયું હતું.
પીક અવર્સમાં બનેલી ઘટનાને લઈને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.જ્યારે બ્રિજના ચાલુ કામ માંથી પણ કોઈ મદદે નહીં આવતા રિપલ પટેલે જાતે જ ક્રેઇન બોલાવીને કાર બહાર કાઢવી પડી હતી.
મહત્વની વાત એ છે કે સર્વિસ રોડ ની જાળવણી ની જવાબદારી બ્રિજ બનાવતા ઇજારદારની છે. તેમ છતાંય સર્વિસ રોડની જાળવણી થતી નથી. સ્માર્ટ સિટીના સત્તાધીશોને પાપે રાહદારીઓ છેલ્લા ચાર વર્ષથી બ્રિજને લઈને અગવડતા ભોગવી રહ્યા છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે