VADODARA CITY
રાજ્યના મુખ્યમંત્રીની ઓચિંતી વડોદરા મુલાકાત

- શહેરના એકતાનગર અને ગ્રામ્યના સુખલીપુરા ગામની પરિસ્થિતિનો તાગ મેળવ્યો
- લોકોએ પ્રાથમિક સુવિધા મુદ્દે મુખ્યમંત્રીને કરી રજૂઆત
- મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાતના પગલે તંત્ર થયું દોડતું
પ્રજાની વેદના સાંભળવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરા શહેર-જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ આજવા રોડ સ્થિત સુખલીપુરા ગામ અને એકતાનગર વસાહતની મુલાકાત લઇ સ્થાનિકોના પ્રશ્નો સાંભળી ત્વરિતનિરાકરણની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી ઓચિંતી મુલાકાતે પધારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. પરિણામે રાજકીય પક્ષોએ પ્રજાને પોતાની તરફ આકર્ષવા તનતોડ પ્રયાસો શરૂ કરી દીધા છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેર જિલ્લાની ઓચિંતી મુલાકાતે આવી પહોંચતા અધિકારીઓ પદાધિકારીઓ સહિત પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી.
ભુપેન્દ્રભાઈ પટેલે સૌપ્રથમ વાઘોડિયા નિમેટા રોડ સ્થિત સુખલીપુરા ગામની મુલાકાત લીધી હતી. અને આંગણવાડી સહિતના સ્થળોનું નિરીક્ષણ કરી ગ્રામજનોની સમસ્યા સાંભળી ત્વરિત નિરાકરણની ખાતરી આપી હતી. ત્યારબાદ તેઓએ વડોદરા શહેરમાં ઇલેક્શન વોર્ડ નંબર 5 મા સમાવિષ્ટ આજવા રોડ સ્થિત એકતાનગરની મુલાકાત લીધી હતી. જ્યાં રહીશોએ રોડ , પાણી અને ડ્રેનેજની સમસ્યા સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. અત્રે નોંધનીય છે કે ,એકતાનગર વસાહતમાં તમામ ધર્મના લોકો રહેતા હોય સમાજમાં ધર્મની બાધ રાખ્યા વિના ભાજપ પક્ષ લોકોની સાથે છે તેવા દ્રશ્યો પણ છતાં થયા હતા. આ બંને સ્થળોની ઓચિંતી મુલાકાત બાદ મુખ્યમંત્રી એરપોર્ટ રવાના થયા હતા.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે