VADODARA CITY
વ્રજધામ સંકુલ ખાતે શ્રીગુંસાઈ પ્રભુચરણ પ્રાદુર્ભાવ મહોત્સવની ઉજવણી થઇ
શ્રી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી વલ્લભ સેવા ટ્રસ્ટ દ્વારા ગત રોજ શહેરના માંજલપુર વ્રજધામ સંકુલ ખાતે શ્રીગુંસાઈ પ્રભુચરણ પ્રાદુર્ભાવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં ભક્તિ સંગીત સંધ્યા તેમજ પૂજ્ય શ્રીના મંગલ વચનામૃત સહીત જલેબી નો બડો ભોગ મનોરથ ઉજવવામાં આવ્યો હતો.જેમાં પોણા ફૂટ જેટલી મોટી અને લગભગ 3000 જેટલી જલેબીઓ નો ભોગ શ્રીઠાકોરજી ને અર્પણ કરવામાં આવ્યો હતો.
500 વર્ષ પૂર્વે શ્રી ગુંસાઈજી ના પ્રાગટ્ય દિનને જલેબી નો ભોગ આરોગીને ઉજવવામાં આવ્યો હતો ત્યાર થી જ આ દિવસને જલેબી નોમ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગ રૂપે ગત રોજ વ્રજધામ અધ્યાત્મિક સંકુલ ખાતે શ્રી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી વલ્લભ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રીગુંસાઈ પ્રભુચરણ પ્રાદુર્ભાવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભક્તિ સંગીત સંધ્યા તેમજ પૂજ્ય શ્રીના મંગલ વચનામૃતનું પણ આયોજન થયું હતું સાથે સાથે શ્રી ઠાકોરજીને લગભગ 3000 જેટલી જલેબીનો બડો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને વૈષ્ણવ ભક્તો અભિભૂત થયા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ,મેયર કેયુર રોકડિયા,સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ,કપ્લેશ પટેલ સહીત બડા ભોગના મુખ્ય મનોરથીઓ પણ હાજર રહ્યા હતા.

VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે