VADODARA CITY
મધ્યરાત્રીએ વડોદરામાં શરબીઓનું રાજ! : પોલીસ પણ ભોગ બની

મધ્યરાત્રીએ શહેરને પોતાના પિતાની જાગીર સમજીને શરાબના નશામાં ધુત્ત થયેલા કેટલાક ખાનદાની નબીરાઓ શહેરના રાજમાર્ગો પર કરતબો કરતા હોય છે. જ્યારે આવા નબીરાઓ અનેક વાર કેટલાક માસૂમ રાહદારીઓ અને ફૂટપાથ પર સુતા શ્રમજીવીઓ ને અડફેટે લે છે. અને કેટલાક કિસ્સામાં રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે.
શરાબના નશામાં ધુત્ત આવા નબીરાઓ કોઈ પણ બીક વિના શહેરના માર્ગોને રેસિંગ ટ્રેક બનાવીને વાહનો હંકારે છે. અને અકસ્માત સર્જે છે. ગત રાત્રે એક નબીરાએ સયાજીગંજ પોલીસ મથક પાસે ઉભેલી પોલીસ વાન સહિત મોટર સાયકલ સાથે અનેક વાહનો સાથે અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ પોલીસ જવાનને ઇજા પહોંચી નથી. જોકે શહેર પોલીસની કડક નાઈટ પેટ્રોલિંગમાં પણ નબીરાઓ છેક પોલીસ મથક પાસે ઉભેલી પોલીસ જીપ સાથે અકસ્માત સર્જી જાય ત્યારે સમજમાં આવે કે રાત્રીના સમયે તો શહેરમાં શારાબીઓ અને નબીરાઓનું જ રાજ ચાલે છે.
સયાજીગંજ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI જયંતીભાઈએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત રાત્રીને 2.45 કલાકે ટોયોટા ઇટીઓસ કાર લઈને બ્રિજેશ જયંતિભાઈ પરમાર રહે.18 ગાર્ડન પાર્ક સોસાયટી રહે. દિવાળીપુરા જુના પાદરા રોડ, પોતાની ગાડી ગફલત ભરી રીતે ચલાવીને પોલીસ સ્ટેશન પાસે ઉભેલી SHE ટીમની જીપ તેમજ એક પોલીસ મીની બસને અસફેટે લઈને ભારે નુકશાન પહોચાડ્યું હતું. તાપસ કરતા જાણવા મળ્યું કે ટોયોટા કારનો ચાલક બ્રિજેશ પરમાર ચિક્કાર નશાની હાલતમાં ધુત્ત થઈને કાર હંકારતો હતો જ્યારે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા પોલીસ મથક પાસે ઉભેલી પોલીસ વાન ને અડફેટે લઈ લીધી હતી.
પોલીસે નશામાં ધુત્ત નબીરા બ્રિજેશ પરમારની ધરપકડ કરી કાર તેમજ મોબાઈલ ફોન મળીને 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે