VADODARA CITY
કોરોના કેસ વધવાની શક્યતાઓને લઈને રેપીડ ટેસ્ટ વધારવામાં આવ્યા

- શહેરમાં જાહેર સ્થળો પર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરશે
- ક્લાભુવન મેદાન ખાતે આરોગ્ય વિભાગે રેપીડ એન્ટીજન ટેસ્ટની ટીમ તૈયાર રાખી
તહેવારો ની ઉજવણી બાદ વડોદરામાં કોરોના ના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રયો છે. રસીકરણ બાદ પણ કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.શું આ ત્રીજી લહેર તો નથી ને ? આવા સવાલો દરેક નાગરિકોના મનમાં થતો હશે જોકે વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હાલના સમયથી જ રેપીડ ટેસ્ટની સંખ્યા વધારીને સાવચેતી વર્તી રહ્યું છે.
વડોદરા શહેરના વિવિધ જાહેર સ્થળો પર લક્ષણો જણાંતા નાગરિકો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી શકે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ટીમો તૈયાર કરવામાં આવી છે. જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય ત્યાં ખાસ કરીને આ ટીમ સ્ટેન્ડબાય રહેશે.
શહેરના કલાભુવન મેદાન તીબેટ માર્કેટ ખાતે રેપીડ ટેસ્ટ માટે આજે પાલિકાની આરોગ્ય તેમ તેઈનત કરવામાં આવી હતી. જે નાગરિકો ને કોરોના ના લક્ષણ લાગતા હોય તે રેપીડ ત્ગેસ્ત અહી કરાવી શકશે. પાલિકા દ્વારા શહેરના અન્ય સ્થળો પર પણ આવી વ્યવસ્થા કરવામાં આવી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે