VADODARA CITY
શહેરની શાળાઓમાં ધોરણ 10 થી 12ના ઓફલાઇન શિક્ષણમાં માત્ર 10 ટકા હાજરી

- ત્રીજી લહેરની ગતિ થી વાલીઓ પણ ભયભીત થયા
- રોજ વધી રહેલા નવા કેસો થી બાળકો હવે ફરી ઓનલાઈન શિક્ષણ તરફ વળ્યા
વડોદરા શહેરમાં કોરોના કેસ વધતા લોકો હવે ભયભીત બન્યા છે જેના કારણે શાળાઓ માં પણ પાંખી હાજરી જોવા મળી રહી છે.વડોદરા ની મોટાભાગની શાળાઓ માં આજે ફક્ત 10 ટકા જ હાજરી જોવા મળી હતી.
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાક માં 281 કોરોના કેસ નોંધાયા છે જે ગત રોજ કરતા ડબલ કેસ નોંધાયા છે.લોકોમાં હવે કોરોના નો ભય જોવા મળી રહ્યો છે જેની અસર શાળાઓ માં જોવા મળી રહી છે.સરકારે ધોરણ 1થી 9 ના ઓફલાઇન વર્ગો બંધ કર્યા છે પરંતુ ધોરણ 10 થી 12 ના ઓફલાઇન વર્ગો ની વાત કરીએ તો વડોદરા ની શાળાઓ માં આજે પાંખી હાજરી જોવા મળી હતી.કારેલીબાગ વિસ્તારની સરદાર વિનય સ્કૂલ જે સૌથી મોટા વર્ગખન્ડ ધરાવે છે ત્યાં પણ આજે 10 ટકા જ હાજરી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે આ શાળા માં ધોરણ 10 થી 12 ના 552 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.કોરોના ના કેસો ઓછા હતા ત્યારે 100 ટકા હાજરી શાળામાં હતી જેમાં આજે ફક્ત 50 વિદ્યાર્થીઓ જ અભ્યાસ માટે આવ્યા હતા.

VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે