VADODARA CITY
BLOની કામગીરીમાં ન જનાર શિક્ષણ સમિતિના 41 આચાર્ય-શિક્ષકને નોટિસ

નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકાને બીએલઓની કામગીરી સોંપવામાં આવી હતી. જે શિક્ષકો હાજર થયા ના હતા તેમને નોટીસ પાઠવવામાં આવી છે. જેમાં 06 આચાર્યો તથા 35 જેટલા શિક્ષકોનો સમાવેશ થાય છે.
નગર પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખે જણાવ્યું કે, જે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી હતી તેમાં 8 શિક્ષકો અત્યારે બીએલઓની કામગીરી કરી રહ્યા છે, તેમ છતાં તેમને ઓર્ડર કરી દેવામાં આવ્યા છે.ચૂંટણી શાખા દ્વારા કોઇ પણ ક્રોસ વેરીફીકેશન કર્યા વગર જ આડેધડ ઓર્ડર કરાઇ રહ્યા છે. જેથી મંગળવારે પ્રાંત અધિકારીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
તેમણે હાકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને આચાર્યનો ઓર્ડર નહિ કરીએ અને સ્કૂલ ઓફ એકસલન્સમાં સમાવિષ્ટ શાળાઓમાંથી 50 ટકા જેટલા જ શિક્ષકોને જ કામગીરી આવે તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે. 6 જેટલા ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોને પણ બીએલઓની કામગીરીમાં નહિ હાજર થતાં તેમને નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ,બીએલઓની કામગીરી માટે બે સર્ગભા શિક્ષિકાઓને ઓર્ડર કરવામાં આવ્યો હતો. જયારે 6 જેટલી શિક્ષિકાઓ એવી છે કે જેમના બાળકની ઉંમર 1 વર્ષ કરતાં ઓછી છે. અન્ય કેટલાક શિક્ષકોએ અગાઉ બીએલઓની કામગીરી કરી છે જેથી રોટેશન પ્રમાણે તેમનો વારો ના આવવો જોઇએ તેમ છતાં પણ તેમને કામગીરી સોંપવામાં આવી હતી.
આમ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 38 અને ગ્રાન્ટેડ શાળાના 03 શિક્ષક આચાર્યને કામગીરી બાબતે નોટિસ પાઠવતા વિવાદ સર્જાયો છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે