VADODARA CITY
સેનેટની ચૂંટણી માટે અનેક દિગ્ગજોએ આજે ઉમેદવારી નોંધાવી
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં 42 પૈકી 40 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઇ ચૂકી છે.જેમાં રજીસ્ટર ગ્રેજ્યુએટની 14 બેઠક પ્રોફેસર કેટેગરીની પાંચ અને ટીચર કેટેગરીની 18 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવા માટે નો ધમધમાટ જોવા મળી રહ્યો છે . રજીસ્ટર્ડ સ્ટુડન્ટ કેટેગરીમાં ગુરુવારે 4 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. અગાઉ પ્રોફેસર કેટેગરીમાં પાંચ અને ટીચર કેટેગરીમાં 13 ઉમેદવારીપત્રો ભરાયા હતા.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સેનેટની ટર્મ આગામી ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થાય છે ત્યારે 42 બેઠકો માટે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ચૂંટણી યોજાનાર છે. જેમાં રજીસ્ટર ગ્રેજ્યુએટની 14,પ્રોફેસરની 5,ટીચરની 18, ડોનર્સની 2 તેમજ સ્કૂલ ટીચર,સ્કૂલ પ્રિન્સિપલ,ટ્રેડ યુનિયન કેટેગરીની એક-એક બેઠકનો સમાવેશ થાય છે યુનિવર્સીટીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મુખ્ય કચેરી ઉમેદવારો અને ટેકેદારોની ચહલ પહલથી ગુંજતી થઈ છે. રજીસ્ટર્ડ સ્ટુડન્ટ કેટેગરીમાં 14 ફેકલ્ટીની 14 બેઠકો માટેના નામાંકન પત્રો ભરવામાં આવી રહ્યા છે.
બુધવાર સુધીમાં કુલ 23 ઉમેદવારીપત્રો ભરાયા હતા. ગુરુવારે ટેકનોલોજી ફેકલ્ટીમાંથી નરેન્દ્ર રાવત, લો ફેકલ્ટીમાંથી અવધૂત સુમંત, આર્ટ્સ ફેકલ્ટી માંથી દિનેશ યાદવ અને ફેકલ્ટીઓફ કોમ્યુનિટી એન્ડ ફેમિલી માંથી અભિલાષા અગ્રવાલે તેમના ટેકેદારો સાથે ઉમેદવારીપત્રો ભર્યા હતા.જ્યારે બુધવારે પ્રોફેસર અને ટીચર કેટેગરીમાં 22 ઉમેદવારીપત્રો ભરાયા હતા
આગામી દિવસોમાં વિવિધ કેટેગરી માટે અન્ય ઉમેદવારો પણ ઉમેદવારીપત્રો ભરી સેનેટની ચૂંટણીમાં ઝંપલાવશે. ત્યારે યુનિવર્સીટીની સેનેટની ચૂંટણી ગરમાશેતેમ લાગી રહ્યું છે.
આર્ટસ ફેકલ્ટી. : 5
કોમર્સ ફેકલ્ટી. : 4
મેડિસિન ફેકલ્ટી. : 1
ટેકનોલોજી ફેકલ્ટી. : 3
લો ફેકલ્ટી. :4
ફાઈન આર્ટ્સ ફેકલ્ટી. :1
હોમ સાયન્સ ફેકલ્ટી. : 1
સોશિયલ વર્ક ફેકલ્ટી. : 4
પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી : 2
જર્નાલીઝમ. : 1
ફાર્મસી. : 1
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે