VADODARA CITY
વફાદારી,અદાકારી અને કલાકારો પર ધારાસભ્યએ કરેલી ફેસબુક પોસ્ટ ચર્ચાના કેન્દ્રમાં

આજે વડોદરા શહેર જીલ્લામાં નિરીક્ષકોની ટિમ જ્યારે કાર્યકરોને સાંભળવા માટે આવી છે ત્યારે જીલ્લામાં ડભોઇ વિધાનસભાના ધારાસભ્યએ ફેસબુક પર લખેલી પોસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે. કટાક્ષમાં લખેલા શબ્દો કોઈને ટાંકીને લખવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે શૈલેષ મહેતાએ આવી પોસ્ટ તેઓ સમાન્યતઃ લખતા હોવાનું જણાવ્યું છે.
“વફાદારીમાં માહિર લોકો અદાકારીમાં હારી જાય છે પરિણામે કલાકારો ફાવી જાય છે.” આવી પોસ્ટ શૈલેષ મહેતા એ આજે ફેસબુક પર લખી છે. જ્યારે આજે નિરીક્ષકોની હાજરીમાં ડભોઇ માંથી અનેક આગેવાનોએ વિધાનસભાની ટીકીટ માટે દાવેદારી કરી છે. કાગનું બેસવું અને ડાળનું તૂટવું જેવો ઘાટ સર્જાતા ધારાસભ્યએ સોશ્યલ મીડિયા પર લખેલી પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે.
સામાન્ય રીતે વિધાનસભાના પ્રતિસ્પર્ધીઓ ને ટાંકીને આ પોસ્ટ લખવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે ધારાસભ્યએ આ વાતને નકારી કાઢી છે. વફાદારી અને અદાકારી દરેક સ્થાને હોય છે. મીડિયામાં પણ આજ પરિસ્થિતિ છે. જ્યારે કયા કલાકારો ફાવી રહ્યા છે તેવા પ્રશ્નમાં તેઓએ જણાવ્યું હતું કે મીડિયાના કલાકારો ફાવી રહ્યા છે.તેમ જણાવ્યું હતું.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે