VADODARA CITY
પોલીસ મથકથી નજીક જ ચાલતો હતો જુગરધામ, પણ સ્થાનિક પોલીસને ન મળ્યો: PCBએ દરોડો પાડ્યો

વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથકથી ગણતરીના અંતરે શહેર PCB શાખાએ દરોડો પાડીને આંક ફરકનો જુગાર રમાડતા જુગરધામ પર દરોડો પાડી બે ને ઝડપી પાડયા હતા. જ્યારે જુગરધામના સંચાલક રોશનઅલીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ સ્ટેશનની નજીક સ્થાનિક પોલીસને જે ન મળ્યું એ PCBએ શોધી કાઢ્યું ત્યારે કારેલીબાગ પોલીસની કામગીરી પર ફરી એક વાર સવાલો ઉભા થયા છે.
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં વ્યાપેલી ગુન્હાખોરી અંર ગેરકાયદે પ્રવૃતિઓ જગજાહેર છે. તાજેતરમાં સ્ટેટ વિજીલન્સની ટીમે ઉપરાછાપરી બે વાર દરોડો પાડીને દારૂ ઝડપી પાડ્યો હતો.તેમ છતાંય સ્થાનિક પોલીસ મથકની નિષ્ફળતા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. જ્યારે આજે ફરી એક વાર શહેર PCB શાખાએ કારેલીબાગ પોલીસ મથકેથી નજીકના અંતરમાં ચાલતા જુગારધામને ઝડપી પાડ્યું હતું.
PCB પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે,કાસમઆલા કબ્રસ્તાન પાસેના શ્રીનાથ પેટ્રોલપંપની પાછળ મારવાડી મહોલ્લામાં રહેતો રોશનઅલી સૈયદ કાચી ચિઠ્ઠીમાં આંક ફરકનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પર ચિઠ્ઠી લખનારા બે ઇસમોને ઝડપી પાડયા હતા. જ્યારે જુગરધામના સંચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વની વાત એ છે કે કારેલીબાગ પોલીસ મથકેથી શ્રીનાથ પેટ્રોલપંપનું અંતર ખૂબ નજીક છે. અહીંથી રોજ અનેક પોલીસ જવાનો અવરજવર કરે છે. ઉપરાંત જુગરધામ ચલાવતો શખ્સ અગાઉ પણ જુગારના કેસમાં પકડાયેલો હોવા છતાંય સ્થાનિક પોલીસને આ જુગરધામ કેમ ન મળ્યું એ સવાલ ઉભો થાય છે. આટ આટલી વાર કારેલીબાગ પોલીસના સ્ટાફની નિષ્ફળતા સામે આવી હોવા છતાંય જવાબદાર અધિકારીઓ તેઓને કેમ છાવરે છે? એ પ્રશ્ન ઉભો થયો છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે