VADODARA CITY
રેતી ચોરી કરવા નદી વચ્ચે પૂલ બનાવી ગેરકાયદે ખનન, જીલ્લા કલેકટરને રજૂઆત
- રેતી ચોર ખનીજ માફિયાઓએ નદીની વચ્ચે સુધી પુલ બનાવી દીધો
- રેતી ચોર માફિયાઓ પર કોના ચાર હાથ? : આટલી રહેમનજર કેમ ?
- પાણી બંધ કરી દેતા નાવિકો પરેશાન : ન્યાય માટે ધરમના ધક્કા
- ગેરકાયદે રેતી ખનનથી નર્મદા કાંઠેના નાવિકોની રોજી છીનવાઈ
વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર સહીત આસપાસના નર્મદા નદીના ગામોમાં ગેરકાયદે રેતી ખનન કરતા તત્વો દ્વારા સરકાર ને ચૂનો ચોપડવા માટે નદીની મધ્યમાં પુલ બનાવીને રેતી ખેચવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ કૌભાંડને કારણે નદી ખેડતા નાવિકો ની મુશ્કેલીમાં વધારો થયો છે. પુલ બનવાને કારણે નાવિકો માછીમારી કરી શકતા નથી અને પરિવહનમાં પણ ભારે તકલીફ થાય છે. જેને લઈને આજે નાવિકો ભેગા થઈને જીલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે આવી પહોચ્યા હતા.
કરજણ તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન કરતા તત્વોએ અડીંગો જમાવ્યો છે. જેને લઈને નદીની ખનીજ સંપતિ ધોળે દિવસે લુટાઈ રહી છે. આ ખનીજ ચોરી માટે ગેરકાયદે નાવડીની ઉપયોગ કરીને નદીની વચ્ચે સુધી પુલ બનાવીને રેતીને વેક્યુમ કરીને કાઢી લેવાય છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા છતાય અધિકારીઓ આંખ આડા કાન કરે છે.
આવી ગેરકાયદે રેતી ખનન ને કારણે નાવિકો ની રોજીરોટી છીનવાઈ ગઈ છે. નાવિકોને માછીમારી માં તકલીફ પડે છે. અને નદીમાં નાવડી ચલાવવું પણ મુશેકલ થઇ ગયું છે. નદીમાં રેતીના પુરાણ સાથે પુલ બનાવી દેતા પાણીનું વહેણ પણ અટકી ગયું છે. જયારે આ મામલે આજે જીલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપીને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી. જો કાર્યવાહી નહિ થાય તો ગાંઘી ચિંધ્યા માર્ગે અંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે