VADODARA CITY
મહેસુલ મંત્રીના ગ્રાન્ટમાંથી ICU on wheels અર્પણ કરાઇ

રાવપુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના મહેસૂલ મંત્રી એ આજે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી એસએસજી હોસ્પિટલને પૂજ્ય શ્રી આશ્રય કુમારજી મહોદયના હસ્તે ICU on wheels અર્પણ કરાઈ હતી.
વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને મહેસુલ મંત્રી સતત સેવાના કાર્યોમાં પોતાનો સમય ફાળવી રહ્યા છે સરકારની કામગીરી ઉપરાંત પોતાના મતવિસ્તારના મતદારોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે એવા ઉમદા આશય સાથે 365 દિવસ માટે રોજ સવારે 12 થી 6 વાગ્યા સુધી પોતાના જ સંપર્ક કાર્યાલયથી કાર્યકરો મતદારોને વિવિધ યોજનાઓનો સ્થળ પર લાભ આપી રહ્યા છે.

ત્યારે આજે રવિવારના દિવસે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના અનુદાનથી ગંભીર અકસ્માતોના બનાવમાં દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તેવા ઉમદા આશય સાથે તૈયાર કરાવેલ ICU on wheels યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી આશ્રય કુમારજી મહોદયના હસ્તે SSG હોસ્પિટલ ને અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, ધારાસભ્યશ્રી સીમાબેન મોહિલે, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિ બેન પંડ્યા, મેયર કેયુર રોકડિયા,શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, રાજેન્દ્ર ત્રિવેદી ફ્રેન્ડ ક્લબના પ્રમુખ પ્રેમલ મોદી સહિત મોટી સંખ્યામાં કાઉન્સીલરો રાજકીય અગ્રણીઓ કાર્યકરો અને લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લાભાર્થીઓના તૈયાર કરાયેલ 1000 જેટલા આયુષ્માન કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે