VADODARA CITY
રમશે ગુજરાત,જીતશે ગુજરાત! : વાઘોડિયા માધવનગરનો વર્લી મટકાનો વિડીયો વાઇરલ

- પોલીસની કડક કાર્યવાહીને ઘોળી પી ગયા ગુન્હેગારો
- જીલ્લાને ગુન્હામુક્ત બનાવવાના પ્રયત્નો પર વર્લી મટકાના વાયરલ વિડીયોએ પ્રશ્નાર્થ ઉભા કર્યા
- વાઘોડીયા PSI પ્રજાપતિએ વાયરલ વીડિયો અંગે તાપસ કરશે તેમ જણાવ્યું
વડોદરા જીલ્લાની હદમાં ગુન્હાખોરી ડામવા માટે પોલીસ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દારૂ જુગારની બદી માંથી જીલ્લો મુક્ત થાય તે માટે પોલીસે સઘન ડ્રાઇવ હાથ ધરી છે છતાંય કેટલાક ગુન્હેગારો પોલીસની આ સઘન કાર્યવાહી માંથી પણ ગુન્હાખોરીનો રસ્તો કાઢી લે છે.
વડોદરા જીલ્લામાં આંકડા જુગારના વેપલાનો એક વિડીયો વાયરલ થવા પામ્યો છે. જે વીડિયોમાં એક વ્યક્તિ આંકડો લખતો નજરે પડે છે. આ વીડિયોમાં દર્શાવેલું સ્થળ માધવ નગર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે વાઘોડિયા પોલીસ મથકના PSI પ્રજાપતિને પૂછતાં આ અંગે તપાસ શરૂ કરી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે