VADODARA CITY
12 ટકા GST સામે ફૂટવેર વેપારીઓનો વિરોધ,જીલ્લા કલેક્ટરને આવેદન આપ્યું
- 12 ટકા જીએસટીના વિરોધમાં વેપારીઓએ લડત આરંભી
- બાજવાડા ફૂટવેર એશોસિએશને અડધો દિવસ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો
વડોદરામાં આજે ફૂટવેરના વેપારીઓએ દુકાન અડધો દિવસ બંધ રાખીને ૧૨ ટકા જીએસટીનો વિરોધ કર્યો હતો. ફૂટવેર પર 05 ટકાથી વધારીને સીધી 12 ટકા જીએસટી લાદી દેવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. બાજવાડા વિસ્તારમાં ફુટવેરના વેપારીઓએ અડધો દિવસ દુકાન બંધ રાખી જીએસટી દર 05 ટકા યથાવત રાખવાની માંગ કરી છે .
આ અંગે વેપારી સલીમભાઈ મેમણ એ જણાવ્યુ હતુ કે , ફૂટવેર પર પહેલા જીએસટી કે કોઇપણ પ્રકારનો વેરો નહતો. સરકારે પાંચ ટકા જીએસટી નાંખી દીધી ! આ નિર્ણયનો અમે સ્વીકાર કર્યો હવે સરકાર ૧૨ ટકા જીએસટી નાંખવાની વાત કરે છે તે અયોગ્ય છે. આખો ધંધો તૂટી જશે. ૧૦ રૂપિયાથી લઇને જુદાજુદા ભાવની ચંપલો બજારમા વેચાય છે.
નાની લારીવાળાઓ તેના પર રોજી કમાય છે. ફુટવેર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ગણી શકાય. લક્ઝરિયસ ચીજ વસ્તુઓ જીએસટી ટેક્સ વધારવો જોઈએ. હાલ કાચા માલનો ભાવ વધવાથી મોંઘવારીના સમયમાં વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ફૂટવેરના વેપારીઓ, મેન્યુફેક્ચર, હોલસેલ, રિટેલર બધા બંધ પાળીને 12 ટકા જીએસટીનો વિરોધ કર્યો છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે