VADODARA CITY
સંકલનના અભાવે સરદાર એસ્ટેટમાં દુષિત પાણીનો ભરાવો થતા ઉદ્યોગકારો ત્રસ્ત

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા સરદાર એસ્ટેટમાં દૂષિત પાણીનો ભરાવો થતા વેપારીઓ અને કર્મચારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
શહેરના આજવા રોડ ખાતે સરદાર એસ્ટેટ રોડ નંબર બે ઉપર ગટરના પાણી ફરી વળતા વેપારી અને કર્મચારીઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. એસ્ટેટના વેપારી દેવેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિના પગલે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. દુર્ગંધ ખૂબ ફેલાય છે અને ચામડીની એલર્જી પણ થાય છે. અન્ય એક વેપારી દિલીપભાઈએ જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષ આ સમસ્યા ઉદ્ભવે છે.
સરદાર એસ્ટેટ મેનેજમેન્ટ અને કોર્પોરેશનને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરી છે. પરંતુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. બે ઇંચ વરસાદમાં કંપનીમાં વરસાદી પાણી પ્રવેશી જતા નુકસાની પણ વેઠવી પડે છે. તદુપરાંત વેપારી દર્શનભાઈ સાહે જણાવ્યું હતું કે, વરસાદી પાણીના નિકાલની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી વરસાદી કાંસ અને ડ્રેનેજ ચોકઅપ છે.
પ્રતિ વર્ષ આ સમસ્યા ઉદભવતા વેપારી અને કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાય છે. નજીવા વરસાદમાં પણ આ રસ્તે પાણીમાં ભરાવો થાય છે. પરિણામે ગંદકી કિચડ વચ્ચે રોગચાળાનો ભય સતાવે છે. અત્રે નોંધનીય છે કે, વરસાદી કાસની એનઓસી સરદાર એસ્ટેટએ કોર્પોરેશન પાસેથી લીધી ન હોવાથી કોર્પોરેશન જવાબદાર નથી તેઓ જવાબ મળ્યો હોવાનું પણ વેપારીઓએ જણાવ્યું છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે