VADODARA CITY
જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનું મોટું ભોપાળું, બે વાર ઉચ્ચતર પગાર બીલ ચૂકવાઈ ગયા

- જે શિક્ષકોના બીલ અગાઉ ચુકવાઈ ગયા છે એમને ફરી વાર બિલ ચૂકવી આપતા લાખો રૂપિયા ચલણ ભરી રિકવરી કરાયા
- જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને TPOની ઘોર બેદરકારી!
- ગ્રુપાચાર્યો અને શિક્ષકોને તાલુકા મથકે બોલાવી અને ચલણ ભરાવ્યા,અંદાજે લાખોની રકમ ચૂકવાઈ
વડોદરા જીલ્લા પંચાયત હસ્તક શિક્ષણ સમિતિના એકાઉન્ટ વિભાગનું મોટું ભોપાળું સામે આવ્યું છે જેમાં વડોદરાના વાઘોડિયા તાલુકાના અનેક શિક્ષકોને અગાઉ ચૂકવાઈ ગયેલા ઉચ્ચતર બીલને ફરી વાર તેઓના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. એક જ બીલની બે વાર ચુકવણી કરવામાં આવતા લાખો રૂપિયા શિક્ષકોના ખાતામાં પહોંચી ગયા હતા. જોકે આ અંગે શિક્ષકોએ કોઈ બીલ રજૂ ન કર્યું હોવા છતાંય ચુકવણી થઈ જતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.જ્યારે ખોટું થયા હોવાની જાણ થતાં શિક્ષકો અને ગ્રુપાચાર્યોને વ્યક્તિગત ચેક સાથે તાલુકા મથકે બોલાવીને તેઓ પાસે શિક્ષણ સમિતિના એકાઉન્ટને ચલણ ભરાવીને રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી. જ્યારે શિક્ષકોએ કોઈ બીલ રજૂ ન કર્યું હોવા છતાંય કયા આધારે રૂપિયા ચૂકવાઈ ગયા એ તપાસનો વિષય છે.
વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકામાં તાજેતરમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષકોના એકાઉન્ટમાં પગાર કરતા વધુ રકમની ચુકવણી થતા શિક્ષકો ચોંકી ઉઠયા હતા. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે જે શિક્ષકોએ ઉચ્ચતર પગારના બિલો અગાઉ મેળવી લીધા છે. તેઓને શિક્ષણ સમિતિએ ફરી વાર બીલ ચૂકવી આપ્યું છે. આ અંગે શિક્ષણ સમિતિના એકાઉન્ટ બિભહ અને TPO ને જાણ થતાં રૂપિયા રિકવરી માટે શિક્ષકોને મેસેજ કરવામાં આવ્યા હતા. અને શિક્ષકો પાસે જમા થયેલી વધારાની રકમના ચેક મંગાવીને તેઓ પાસે ચલણ ભરાવી રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા.આ રકમ લાખોમાં હતી જેને શિક્ષકો પાસેથી રિકવર કરવામાં આવી હતી.
સામાન્ય રીતે શિક્ષણ વિભાગમાં જ્યાં સુધી બીલ મુકવામાં ન આવે ત્યાં સુધી ગ્રાન્ટ રિલીઝ થતી નથી. જે શિક્ષકોએ ઉચ્ચતર પગારના તફાવત બીલનો લાભ લઈ લીધો હતો તે શિક્ષકોએ ફરી વાર કોઈ બીલ મુક્યા ન હતા. તેમ છતાંય શેના આધારે બિલ ચૂકવાઈ ગયા એ તપાસનો વિષય છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે