VADODARA CITY
કોરોનાકાળ બાદ પ્રથમ વાર જીલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
વડોદરા જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેલા ધારાસભા હોલમાં આજે જીલ્લા સંકલન ની બેઠક મળવા પામી હતી જેમાં જીલ્લાના વિવિધ વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી કોવીડ ના સમયથી બંધ થયેલી જીલ્લા સંકલન ની બેઠક આજે લાંબા સમાય બાદ યોજાતા અનેક પ્રશ્નો અંગે ધારાસભ્યોએ વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી.
ચુટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સંકલન બન્યું રહે તે માટે જીલ્લા કલેકટર શ્રીની અધ્યક્ષતામાં જીલ્લા ની વડી કચેરીએ સંકલન સમિતિની બેઠક યોજાતી હોય છે જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ સહીત શહેર જીલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહેતા હોય છે. વડોદરા જીલ્લામાં કોરોના કાળ થી જીલ્લા સંકલન સમિતિની બેઠક મળી ન હતી .જે આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે યોજવા પામી હતી. જ્યાં ધારાસભ્યો જીલ્લા પોલીસ વડા તેમજ જીલ્લા ના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
શહેર જીલ્લાના ધારાસભ્યો એ વિસ્તારના મહત્વના પ્રશ્નો અંગે વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હતું. જયારે પોતાના મત વિસ્તારમાં અટકી પડેલા વિકાસના કામો અને મહત્વના વિષયો પર વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે