VADODARA CITY
હવે તો ભાજપ નાજ ભેરવાયા!, રખડતા ઢોરો માંથી ક્યારે મુક્તિ મળશે?

- ભાજપના વોર્ડ 11 ના મહિલા ઉપપ્રમુખને ગાયે ભેટી મારી
- માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડયા
- પાલિકાની “બેઅસર” કામગીરીમાં ક્યારે જીવ આવશે?
ભાજપના વોર્ડ-૧૧ ના મહિલા ઉપપ્રમુખ ગઇકાલે સાંજે ચાલતા જતા હતા.તે દરમિયાન મકરંદ દેસાઇરોડ પર તોફાને ચડેલી ગાયે તેઓને શિંગડે ભેરવીને ફંગોળતા માથામાં ઇજા થઇ હતી.રાહદરીઓએ તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.
શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે.ઢોર પાર્ટીનો સ્ટાફ રખડતા ઢોરને પકડે છે.તેમછતાંય જાહેર માર્ગો પર રખડતા ઢોર નજરે પડે છે.અવારનવાર રખડતા ઢોરના કારણે નાગરિકોને ઇજા થતી હોય છે.કેટલાક કિસ્સામાં તો નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.
તેમછતાંય કોર્પોરેશનનું તંત્ર અસરકારક કામગીરી કરતું નથી.ગોત્રી નટુભાઇ સર્કલ પાસેની વિનાયક સોસાયટીમાં રહેતા જાગૃતિબેન પાઠક (ઉ.વ.૫૦) વોર્ડ-૧૧ માં ઉપપ્રમુખ છે.ગઇકાલે સાંજે તેઓ ઘરેથી નીકળીને વોર્ડ ઓફિસમાં ચાલતા જતા હતા.તે દરમિયાન પ્રથમ કોમ્પલેક્સ થી વોર્ડ-૧૧ ની ઓફિસની વચ્ચે પાછળથી દોડતી આવતી ગાયે તેઓને શિંગડે ભેરવીને હવામાં ઉછાળ્યા હતા.
રોડ પર પટકાયેલા જાગૃતિબેનને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેઓ બેભાન જેવા થઇ ગયા હતા.બનાવના પગલે દોડી આવેલા રાહદરીઓ તેઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.જ્યાં તેઓને માથામાં ચાર ટાંકા આવ્યા હતા.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે