VADODARA CITY
03 લાખ રાષ્ટ્રધ્વજ માટે કોર્પોરેશન 04 લાખ લાકડીઓ ખરીદશે

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ રાષ્ટ્રધ્વજ સહિતની સાધન સામગ્રી ખરીદવા માટે તમામ પ્રકારનો ખર્ચ વગર બાધે કરવા મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિની મંજૂરી માંગી છે.
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા કોર્પોરેશન દ્વારા તમામ ઘરો, વેપાર ધંધાના સ્થળો, ધાર્મિક સ્થાનો સહિતના સ્થળોએ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગો ફરકાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરા કોર્પોરેશનને 03 લાખ રાષ્ટ્રધ્વજની ફાળવણી પણ કરવામાં આવી છે. ત્યારે રાષ્ટ્રધ્વજ માટે લાકડીની જરૂરિયાત હોય વડોદરા કોર્પોરેશન દ્વારા સ્થાનિક વેપારી આશાભાઈ બાપૂભાઈ પાસેથી પ્રતિ સ્ટીક રૂ. 04 લેખે 04 લાખ સ્ટીકસ ખરીદવાનું નક્કી કર્યું છે.
જે માટે 16 લાખ પૈકી 50 ટકા એડવાન્સ રકમ ચૂકવવાની થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજના વેચાણ માટે સ્ટોલ, સ્ટેજ, ફરાસખાના ,ફોટોગ્રાફી, પાણીની વ્યવસ્થા ઉભી કરવા માટે પણ નાણાની જરૂરિયાત ઉદ્ભવશે. જેથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આનુષગિક તમામ ખર્ચ અર્થેની મંજૂરી મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલને આપવા અંગેનું કામ સ્થાયી સમિતિ સમક્ષ રજુ થયું છે. જે અંગેનો ખર્ચ સંસ્કાર કાર્યક્રમના બજેટ 3.20 કરોડમાંથી થશે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે