VADODARA CITY
સીઆર પાટીલના કૃષ્ણ સુભદ્રાના નિવેદન પર કોગ્રેસનો વિરોધ
- કોંગ્રેસના નેતાઓ મહાભારત ગ્રંથ અને કૃષ્ણ ભગવાનના ધાર્મિક પુસ્તકો સાથે જ્ઞાન અને સદબુદ્ધિ હેતુ ભાજપ કાર્યાલય ખાતે ધસી ગયા
- વડોદરા યુથ કોંગ્રેસએ કર્યા પ્રહાર; પ્રમુખ સહિત 15 કોંગી નેતાઓની અટકાયત
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પોરબંદરમાં ભગવાન શ્રી ક્રુષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. પાટીલે કૃષ્ણ અને રુકમણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું વક્તવ્ય આપ્યું હતું આ મામલે કોંગ્રેસ દ્વારા તેમના પર પ્રહાર કરવામાં આવ્યા છે.
વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે મહાભારત ગ્રંથ અને કૃષ્ણ ભગવાનના ધાર્મિક પુસ્તકો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પોરબંદરના માધવપુરમાં ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રુકમણી લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. ત્યારે આ મેળામાં પહોંચી ગયેલા સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં ભાંગરો વાટ્યો હતો. સંબોધનની શરૂઆતમાં એમણે કૃષ્ણ અને રુકમણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા. ત્યારબાદ એક કાર્યકર સ્ટેજ પર આવી કંઈક કાનમાં કહી ગયા બાદ પાટીલે રુકમણીનો ઉલ્લેખ કર્યો હતો.

હવે આ બાબતે વિવાદ વધી રહ્યો છે. સી.આર. પાટીલના નિવેદનનો વડોદરા યુથ કોંગ્રેસએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, જેમને એ ખબર નથી કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનો સંબંધ શું છે. તે આજે હિન્દુ ધર્મના ઠેકેદારો બનીને ફરે છે. પાટીલે ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીને પતિ-પત્ની બનાવીને ભાઇ બહેનના પવિત્ર સંબંધ લાંછન લગાડ્યું છે.
લોકોની ધાર્મિક લાગણી દુભાવવા માટે સી.આર પાટીલ માફી માંગે. આ નિવેદન વિવાદાસ્પદ છે સુભદ્રા ભગવાન કૃષ્ણનાં બહેન હતા સીઆર પાટીલને કોઈ ગ્રંથનો ઇતિહાસ ખબર નથી અને તેઓની અજ્ઞાનતા સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના આગેવાનો મનુભાઇ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ગ્રંથ અને પુસ્તક અર્પણ કરવા જાય તે અગાઉ સયાજીગંજ પોલીસે ૧૫ જેટલા કોંગી નેતાઓની અટકાયત કરી હતી.
VADODARA CITY
બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.
વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.
વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.
અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.
-
VADODARA CITY7 days ago
PSI અરુણ મિશ્રા બન્યા ગુજરાત પોલીસ દળના ફિટેસ્ટ કોપ: રાજ્ય પોલીસ વડાએ કર્યું સન્માન
-
VADODARA CITY7 days ago
Corporate Football tournament to raise funds for cleaning the pond at Bhayli
-
VADODARA CITY7 days ago
Vadodara to host “Northeast National Festival of Drama – 2022” from 16 to 20
-
VADODARA CITY5 days ago
શુદ્ધ પાણી પુરતા પ્રેશરથી આપવા જળાશયો ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પહોંચ્યા
-
VADODARA CITY2 days ago
બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી
-
VADODARA CITY4 days ago
Senior actor from Vadodara Snehendra Shah now in the role of a producer