VADODARA CITY
બ્યુટીફીકેશન બાદ પણ તળાવોની બત્તર હાલત,ખોડિયાર નગર તળાવમાં માછલીઓ મરતા અતિશય દુર્ગંધ

- ડ્રેનેજના પાણી તળાવમાં છોડાતા જળચર જીવોના મોત થયા ?
- બ્યુટીફીકેશન તો કરાયું પણ ત્યાર બાદ જાળવણી શૂન્ય
વડોદરા શહેરના વિવિધ જળાશયોમાં દુષિત પાણીને કારણે જળચર જીવોના મોત થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ સુરસાગર અને કમલાનાગર તળાવમાં પણ માછલીઓ ના મોતના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આજે શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ખોડિયાર નગર તળાવમાં માછલીઓ મરવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં તળાવો ના બ્યુટીફીકેશન પાછળ કરોડોનું આંધણ કરનાર પાલિકા તંત્ર હાલ નિષ્ફળ નીવડ્યું છે. તળાવો ના બ્યુટીફીકેશન ના નામે આસપાસના વિસ્તારની સુંદરતા તો વધારી પણ તળાવનું પાણી શુદ્ધ કર્યું નથી. આજે પણ અનેક તળાવોમાં ડ્રેનેજના દુષિત પાણી છોડવામાં આવે છે. જેને લઈને તળાવમાં રહેલા જળચર જીવોના મોત થવાના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે.
આજે શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ખોડિયાર નગર તળાવમાં માછલીઓ ના મોત થી અતિશય દુર્ગંધ ફેલાઈ છે. માથું ફાટી જાય તેવી દુર્ગંધથી આસપાસના રહીશો પરેશાન થઈ ગયા છે.મોટી સંખ્યામાં માછલીઓ ના મોત થતા પાણીની સપાટી પર મૃત માછલીઓ તરી આવી છે. જ્યારે બ્યુટીફીકેશન ના નામે કરોડોના ખર્ચ બાદ તળાવની જાળવણી નહીં થતી હોવાના આક્ષેપ શિવસેના ના શહેર ઉપાધ્યક્ષ તેજસ બ્રહ્મભટ્ટે કર્યા હતા.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે