VADODARA CITY
મહિસાગરમાં પાણીનું સ્તર વધતા રાયકા દોડકા ફ્રેંચવેલમાં રેતી ભરાઈ જતા પાણી કાપ,તંત્ર એક્શનમાં
મહી નદી ખાતે રાયકા દોડકા ફ્રેન્ચવેલમાં મહી નદીમાં આવેલા પૂરને કારણે માટી અને રેતીનું શિલટીગ થઇ જતા પાણી કાપ મૂકવો પડ્યો હતો. જે અંગે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણા એ સ્થળની મુલાકાત લીધી હતી અને ઝડપથી માટીનો કાંપ કાઢી વહેલી તકે પૂરતું પાણી વિતરણ થાય તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી સ્થિત પાણી પુરવઠાના ચાર ફ્રેન્ચ કૂવા પૈકી રાયકા અને દોડકા કુવા ખાતે મહી નદીમાં આવેલા પુરને કારણે માટી અને રેતી નું શિલ્ટિંગ થતાં જેના કારણે હાલ શહેરના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં લો પ્રેશરથી પાણી મળી રહ્યું છે. તાજેતરમાં ભારે વરસાદ થવાના કારણે કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવતા મહી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પૂરની સાથે માટી તણાઇને આવતા કોર્પોરેશનના ચાર ફ્રેન્ચ કૂવા પૈકી રાયકા દોડકા કૂવા પાસે માટીનો જમાવડો થયો છે.
જેના લીધે કૂવાના રેડિયલમાં ૨૫ એમએલડી જેટલું પાણી ઓછું પ્રાપ્ત થઇ રહ્યું છે. જો કે કોર્પોરેશન દ્વારા ફૂવાના રેડિયલમાં માટી ભરાઇ ન જાય તે માટે વાલ્વ બંધ કરવામાં આવ્યા હતા. આમ છતાં ભારે પૂરના લીધે માટી જામ થઇ છે. આવું સામાન્ય રીતે બનતું જ હોય છે. આમ થવાના લીધે રોજની સરખામણીએ પાણી ઓછું મળી રહ્યું છે. હાલ કોર્પોરેશનના પાણી પુરવઠા શાખા દ્વારા કામ ચલાવ ધોરણે કોમ્પ્રેસર મારીને માટીની સફાઇ કામગીરી શરૂ કરી છે. રાયકા અને દોડકા ખાતેથી શહેરની પૂર્વ ઉતર વિસ્તારની ટાંકીઓમાં પાણી વિતરણ કરાય છે.
જોકે દર ચોમાસા પછી ફ્રેચ કુવાઓમાં માટી અને કાંપનું ભરાવો થતા કોર્પોરેશન દ્વારા સફાઇ કામગીરી હાથ ધરવી પડે છે. હાલ જે ટેમ્પરરી કામગીરી થઇ રહી છે, તે એક અઠવાડિયા સુધી ચાલશે. ચોમાસુ પૂર્ણ થયા બાદ કુવાની પૂર્ણપણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે