VADODARA CITY
નંદેસરીના ઉદ્યોગમાં વધુ એક અકસ્માત, એક કર્મચારી ગંભીર રીતે દાઝ્યો

સબસાલામત હે ના બણગાં ફુકતી નંદેસરી અદ્યોગિક વસાહત માં આવેલી રાધિકા એગ્રો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની માં વધુ એક કામદાર દાઝી જતા તેને ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ સાંજે નંદેસરી અદ્યોગિક વસાહત માં આવેલ રાધિકા એગ્રો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની માં કામ કરતો કામદાર વિવેક કુમાર રાજારામ પાંડે ડીસ્ટીલેશન વાલ બંધ કરવા ગયો હતો તે દરમિયાન અચાનક પડી જતા તે ગંભીર રીતે દઝાયો હતો.કંપની સત્તાધીશો એ દઝાયેલાં કર્મચારી ને સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડયો હતો.સમગ્ર ઘટના અંગે નંદેસરી પોલિસ ને જાણ થતાં નંદેસરી પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
નંદેસરી અદ્યોગિક વસાહત માં સેંકડો કેમિકલ કંપની આવેલી છે અને અદ્યોગિક વસાહત માં અવાર નવાર સેફટી ના અભાવે કામદારો દાઝી જવા ના બનાવો બનતા રહે છે તેવામાં સબ સલામત હે ની ગુલબાંગો ફુકતી કંપનીઓ કામદાર ને સેફટી આપવા માં હંમેશા નિષ્ફળ નીવડી છે.રાધિકા એગ્રો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની માં પણ સેફટી ના અભાવે વધુ એક કામદાર દાઝી જતા કંપની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા ની માંગ ગ્રામજનો કરી રહ્યા છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે